પંજાબની કેબિનેટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. તેની જાણકારી મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને આપી છે.
પંજાબ કેબિનેટનો મોટો નિર્ણય
પંજાબમાં લોકોને ઘરે રાશન મળી જશે
25 હજારથી વધારે સરકારી નોકરીની જાહેરાત
પંજાબની કેબિનેટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. તેની જાણકારી મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને આપી છે. તેમણે કહ્યું કે, કેટલાય વિભાગની 26454 ભરતીને મંજૂરી આપી છે. ઘરે ઘરે રાશન પહોંચાડવાની સ્કીમને પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત એક MLA, એક પેન્શન, મુક્તસર જિલ્લાના ખેડૂતોનો પાક ખરાબ થતાં 41.8 કરોડના વળતરને પણ મંજૂરી આપી દેવામા આવી છે. તો વળી નાના ટ્રાંસપોર્ટરો મનાટે ફી જમા કરાવવા માટે 3 મહિનાનો વધારાનો સમય આપી દીધો છે. આ ફી હપ્તામાં પણ જમા કરાવી શકશે.
पंजाब कैबिनेट के बड़े फैसले-
1) कई विभागों की 26454 भर्तियों को मंजूरी
2) एक MLA, एक पेंशन को मंजूरी
3) घर-घर राशन पहुंचाने की स्कीम को मंजूरी
4) मुक्तसर जिले में नरमे की फसल के खराब होने पर 41.8करोड़ मुआवज़े को मंजूरी
38.08 करोड़- किसानों को
03.81 करोड़- खेत मजदूरों को
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને માર્ચ મહિનામાં જાહેરાત કરી હતી કે, પૂર્વ ધારાસભ્યોને હવે ફક્ત એક કાર્યકાળ માટે જ પેન્શન મળશે. આવી જ રીતે ઘારાસભ્યોને દરેક કાર્યકાળ માટે મળતી પેન્શન પ્રથાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ધારાસભ્યોને એક કાર્યકાળ માટે 75,000 રૂપિયાનું પેન્શન મળે છે, ત્યાર બાદ આગળ દરેક કાર્યકાળ માટે વધારાનું 66 ટકા પેન્શન રકમ મળે છે. હાલના સમયમાં 250થી વધારે પૂર્વ ધારાસભ્યો પેન્શન મેળવી રહ્યા છે.
ડોર ટૂ ડોર રાશન યોજના લાગૂ કરી
આ ઉપરાંત સીએમ ભગવંત માને ઘર ઘર રાશન યોજનાની શરૂઆત કરી છે. હવે ગરીબોને રાશનની દુકાન પર લાઈનોમાં ઉભું રહેવું પડશે નહીં, કારણ કે સારી ગુણવત્તાવાળુ રાશન તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. જેથી યોજનાના પાત્ર લાભાર્થી માટે વૈકલ્પિક હશે. આ યોજનાનનું વિવરણ ટૂંક સમયમાં કરાવામાં આવશે. જો રાશન ડેપો આપને ઘરની નજીકમાં છે, તો કોઈ પણ ત્યાંથી લઈ શકશે, અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકારે દિલ્હીમાં પણ આ યોજનાને શરૂ કરી હતી, પણ દુર્ભાગ્યવશ તેને રોકી દેવામાં આવી હતી, જો કે, હવે પંજાબમાં આ યોજના લાગૂ થઈ ગઈ છે.
સીએમ ભગવંત માને પ્રથમ કેબિનેટ બેઠકમાં 25 હજાર ખાલી ભરવાની જાહેરાત કરી હતી
માને કહ્યું હતું કે, આ દુખદ છે કે, દેશની આઝાદીના 75 વર્ષ બાદ પણ ગરીબ અને સામાન્ય લોકોને રાશન લેવા માટે રાશનની દુકાને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ડિજિટલીકરણના આ યુગમાં ખાદ્ય પદાર્થો દૈનિક જરૂરિયાતની અલગ અલગ વસ્તુઓ ફોનના એક કોલથી ઘરે આવી જાય છે. આ અગાઉ 19 માર્ચે માને પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રથમ નિર્ણયમાં પોલીસ વિભાગમાં 10000 પદ સહિત સરકારના અલગ અલગ વિભાગમાં ખાલી 25,000 હજાર પદ ભરવાની જાહેરાત કરી હતી.