પંજાબની આમ આદમી પાર્ટીએ સોમવારે પોતાનું પ્રથમ 1.55 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. કોઈ નવો કર લગાવ્યો નથી અને બજેટનું ફોક્સ શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્રો પર આપ્યું છે.
પંજાબ સરકારે પોતાનું પ્રથમ બેજટ રજૂ કર્યું
શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્ર પર કર્યું ફોક્સ
300 યુનિટ મફત વિજળી આપવાની જાહેરાત
પંજાબની આમ આદમી પાર્ટીએ સોમવારે પોતાનું પ્રથમ 1.55 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. કોઈ નવો કર લગાવ્યો નથી અને બજેટનું ફોક્સ શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્રો પર આપ્યું છે. જો કે, આપ સરકારે 18 વર્ષથી મોટી ઉંમરની દરેક મહિલાને 1000 રૂપિયા ભથ્થા આપવાના વચનની હાલમાં કોઈ જાહેરાત કરી નથી. સરકારે તમામને 300 યુનિટ મફત વિજળી આપવાની જાહેરાત કરી છે.
14,000 કરોડની રેવન્યૂ મળવાનું અનુમાન
બજેટમાં કોઈ નવી ઘોષણા નથી કરવામા આવી, રેવન્યૂ પ્રાપ્તિઓમાં 2021-22 સુધી લગભગ 14,000 કરોડ રૂપિયાની વૃદ્ધિનું અનુમાન છે. નાણામંત્રી હરપાલ ચીમાએ કહ્યું કે, રેવન્યૂ વધારો આબકારી નીતિના માધ્યમથી થશે. જેમાં રાજ્યને 56 ટકા રેવન્યૂ વધારે મળશે. જીએસટી કરમાં ઉછાળાથી રાજ્યને ગત વર્ષની સરખામણીમાં 27 ટકા વધારાનું રેવન્યૂ મળ્યું ંહતું. તથા બિન કર રેવન્યૂમાં 11 ટકાનો વધારો થશે.
36,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરશે
100થી વધારે હાલની સ્કૂલોને અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ સ્કૂલ પ્રી પ્રાઈમરીથી લઈને 12માં ધોરણ સુધીનો સમાવેશ થશે ને ડિજિટલ ક્લાસરૂમ, ટેકનોલોજીથી સજ્જ, ટેકનિકલ શિક્ષણ સુવિધાઓ અને પ્રશિક્ષિત ફેકલ્ટી જેવા ઉત્કૃષ્ટ માળખાગત ઢાંચાથી સજ્જ હશે. સરકારે સરકારી ક્ષેત્રની 24,400 પદ ભરવા અને 36,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નોકરીમાં કાયમી કરવાની પણ જાહેરાત કરી છે.