ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોની સરકારની સાતે આઠમાં સ્તરની બેઠકના એક દિવસ પહેલા પંજાબના ભાજપ નેતા સુરજીત કુમાર જ્યાણી અને હરજીત સિંહ ગ્રેવાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત કરી. મુલાકાત બાદ જ્યાણીએ સંવાદદાતાઓને કહ્યું કે ખેડૂત સંગઠનોના 3 કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ પર હઠીલુ વલણ ન અપનાવવું જોઈએ.
ખેડૂતો અને સરકારની વચ્ચે સાતમાં સ્તરની વાર્તા અસફળ રહી
શાહે ગત દિવસોમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધીઓ સાથે વાત કરી હતી.
26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની પરેડ પહેલા માર્ચ કાઢીને તેમણે પોતાનું રિહર્સલ કર્યુ
શાહે ગત દિવસોમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધીઓ સાથે વાત કરી
તેમણે એ આરોપ પણ લગાવ્યો કે વામપંથી નેતાઓ આ આંદોલનમાં પ્રવેશી ચૂક્યા છે અને તે નથી ઈચ્છતા તે આ મુદ્દો ઉકેલાય. ગ્રેવાલે દાવો કર્યો છે કે સરકાર ખેડૂતોના હિતમાં બધુ જ કરવા તૈયાર છે. યાદ હોય તો ખેડૂતો અને સરકારની વચ્ચેની વાતચીતની વચ્ચેનો ગતિરોધ દૂર કરવા માટે શાહે ગત દિવસોમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધીઓ સાથે વાત કરી હતી.
ખેડૂતો અને સરકારની વચ્ચે સાતમાં સ્તરની વાર્તા અસફળ રહી
સાતમાં સ્તરની વાર્તા અસફળ થયા બાદ શુક્રવારે એક વાર ફરી ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને સરકારના મંત્રીઓની વચ્ચે વિજ્ઞાન ભવનમાં વાર્તા પ્રસ્તાવિત છે. ખેડૂતો સાથે વાત કરનારા કેન્દ્રીય મંત્રીઓમાં નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલ અને સોમ પ્રકાશનો સમાવેશ થયો છે. વાર્તાની થોડાક સમય પહેલા ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર માર્ચ કાઢ્યું હતુ અને કહ્યુ હતું કે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની પરેડ પહેલા માર્ચ કાઢીને તેમણે પોતાનું રિહર્સલ કર્યુ.
સાતમાં સ્તરની વાર્તામાં ગતિરોધનો કોઈ ઉકેલ નહોંતો આવ્યો
જ્યાણી અને ગ્રેવાલે ગત કેટલાક દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેમના સરકારી આવાસ પર મુલાકાત કરી હતી. જ્યાણીને ગત વર્ષ 3 કૃષિ કાયદા પર પંજાબના ખેડૂતો સાથે ચર્ચા માટે ભાજપ તરફથી ગઠિત કિસાન સમન્વય સમિતિની અધ્યક્ષતા સોંપવામાં આવી હતી. તે સમયે તે મુસદ્દો સંસદમાં પસાર કરવામાં આવ્યો નહોંતો. ગ્રેવાલ પણ આ સમિતિના સભ્ય હતા. સરકાર અને ખેડૂતોની વચ્ચે સંપન્ન થયેલી સાતમાં સ્તરની વાર્તામાં ગતિરોધનો કોઈ ઉકેલ નહોંતો આવ્યો.