પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ ગત દિવસોમાં રાજ્યના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઇને ગુરૂવારે દુઃખ વ્યક્ત કર્યું અને તેમની સલામતીની પ્રાર્થના કરવા માટે તેમણે એક શેર પણ વાંચ્યો.
મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઇને ચન્નીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રીઓની બેઠકમાં ચન્નીએ તેમના દુર્ઘાયુ હોવાની પાર્થના કરી
પંજાબમાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂકને લઇને ચાલી રહ્યો છે વિવાદ
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોરોના-19ની સ્થિતિ પર સમિક્ષા માટે પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન ચન્નીએ તેમના દીર્ઘાયુ હોવાની પ્રાર્થના કરતા શેર સંભળાવ્યો. સૂત્રોના અનુસાર, ચન્નીએ મોદીને કહ્યું કે, તેમના પંજાબ પ્રવાસ દરમિયાન જે કંઇ પણ થયું તેનું દુઃખ છે કારણ કે દેશના પ્રધાનમંત્રી હોવાના નાતે તેઓ તેમના માટે ખુબ સન્માનિત છે. તેમણે કહ્યું કે આપ સલામત રહે કયામત તક ઓર ખુદા કરે કી કયામત ના હો.
ચન્ની પહેલા પણ આ ઘટનાને લઇને ધુખ વ્યક્ત કરી ચૂક્યા છે
પ્રધાનમંત્રીની સુરક્ષા ચૂકના મુદ્દે ભાજપે આક્રામક વલણ બનાવી રાખ્યું છે અને તેના માટે તેઓ સીધી રીતે પંજાબ સરકારને ગુનેગાર જણાવી રહ્યા છે. ભાજપ નેતાઓને કોંગ્રેસ અને પંજાબ સરકાર પર પ્રધાનમંત્રીની હત્યાનુ ષડયંત્ર રચવા સુધીનો આરોપ લગાવ્યો છે. ચન્ની પહેલા પણ આ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ સાથે જ તેઓ આ પણ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીના જીવને કોઇ ખતરો ન હતો. કેટલીક વખત તો તેમણે આ મુદ્દે પ્રધાનમંત્રીની મજાક પણ ઉડાવી.
તપાસ માટે સમિતિની રચના
5 જાન્યુઆરીએ ફિરોઝપુરમાં ખેડૂતો દ્વારા રોડ રોક્યા બાદ પ્રધાનમંત્રીનો કાફલો એક ફ્લાઈઓવર પર અંદાજિત 20 મિનિટ સુધી અટકેલો રહ્યો હતો. ઘટના બાદ પ્રધાનમંત્રીને પંજાબમાં રેલી સહિત અન્ય કાર્યક્રમોમાં ભાગ લીધા વિના જ પરત ફરવું પડ્યું હતું. કેન્દ્રએ પંજાબની કોંગ્રેસ-નીત સરકાર પર સુરક્ષા ચૂકનો આરોપ લગાવ્યો અને આ સંબંધમાં તાત્કાલિક રિપોર્ટ આપવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે બુધવારે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરી.