આજથી બરાબર એક વર્ષ પહેલાં અમૃતસર નજીક દશેરાની ઉજવણી કરી રહેલા લોકો સાથે રેલ દુર્ઘટના બની હતી. જેમાં 60 લોકો મોત થયાં હતા. ઘટના એટલી ભયાનક હોવા છતાં ઉંઘતી સરકાર અને પોલીસ હજુ સુધી દોષિતોને સજા કરાવી શકી નથી. આમાં દેશ કેવી રીતે વિકાસ કરી રહ્યો છે એવું માની શકાય.
પીડિત પરિવારોએ ન્યાય માટે કેન્ડલ માર્ચ યોજી
પીડિત પરિવારોને હજુ સુધી નોકરીઓ નથી મળી
ગત વર્ષની સૌથી મોટી દુર્ઘટના હતી
રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પરિવારના સભ્યોને પંજાબ સરકારે નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ દુર્ઘટનાને એક વર્ષ થયું હોવા છતાં ન પીડિત પરિવારોને નોકરી મળી ન તો ન્યાય.જે રેલના પાટા અને ફાટક નજીક આ દુર્ઘટના બની હતી ત્યાં સુધી પીડિત પરિવારોએ કેન્ડલ માર્ચ પણ યોજી હતી. કેન્ડલ માર્ચ દરમિયાન પીડિત પરિવારોએ કહ્યું કે અમારા ઘરોમાં ખાવા અન્ન નથી છતાં સરકાર નોકરીઓ નથી આપતી.
શું હતી એ ભયાનક દુર્ઘટના
2018માં આજના દિવસે અર્થાત્ દશેરાના દિવસે અમૃતસરની જોડા ફાટક પાસે હજારો લોકો રાવણ દહનોના કાર્યક્રમ ઉજવી રહ્યા હતા. જેમાં રેલના પાટા નજીક બેઠલાં અનેક લોકો પર પુર પાટ ઝડપે આવતી ડેમુ ટ્રેન તેમના પર ફરી વળતાં 60 થી વધુ લોકોના મોત થયાં હતા અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.