પંજાબમાં હવે રાશનની ડોર સ્ટેપ ડિલીવરી કરવામાં આવશે. એટલે કે, જો આપ સરકારી રાશન માટે કોઈ ડેપો પર જવા નથી માગતા, તો આપને ઘરે બેઠા આ સુવિધા મળી જશે.
પંજાબના લોકો માટે ખુશખબર
પંજાબમાં હવે ઘરે બેઠા આવી જશે રાશન
ડોરસ્ટેપ ડિલીવરી શરૂ થશે
દિલ્હીની માફક હવે પંજાબમાં પણ રાશનની ડોર સ્ટેપ ડિલીવરીની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જો કે હાલ દિલ્હીમાં આ યોજના પર રોક લગાવાઈ છે ત્યારે AAPએ કહ્યુ છે કે ભલે દિલ્હીમાં અમને રોક્યા અમે પંજાબથી શરૂઆત કરીશું.
આ જાહેરાતથી પંજાબમાં હવે સરકારી રાશન માટે કોઈ ડેપો પર જવા નથી માગતા, તો આપને ઘરે બેઠા આ સુવિધા મળી જશે. આ વાતની જાહેરાત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કરી છે. તેમણે કહ્યું કે, આ સ્કીમ અંતર્ગત ઓફિસમાંથી લોકોને ફોન કરવામાં આવશે અને પછી ઘરમાં જ્યારે પણ જરૂર હશે, ત્યારે તેમને રાશન પહોંચાડવામાં આવશે.
ભગવંત માને કહ્યું- આઝાદીના 75 વર્ષ બાદ પણ આપણાં લોકો લાઈનમાં ઉભા રહે છે. આજે અમે આ સિસ્ટમ બદલવા જઈ રહ્યા છીએ, હવે આપણી માતાઓ અને બહનોને રાશન માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવુ નહીં પડે. કોઈને પણ પોતાની મજૂરી નહીં છોડવી પડે. આજે અમે નિર્ણય કર્યો છે કે, આપની સરકાર આપને ઘરે રાશન પહોંચાડશે.
पंजाब में घर-घर राशन योजना चालू। केंद्र सरकार ने इसे दिल्ली में लागू करने से रोका। कोई बात नहीं। इसकी शुरुआत अब पंजाब से करेंगे। LIVE https://t.co/RR0IFijUOf
પંજાબમાં આ સ્કીમની જાહેરા થયા બાદ કેજરીવાલે કહ્યું હતું કે જે અમને દિલ્હીમાં લાગુ કરતા રોકાયા હતા તેની હવે અમે પંજાબથી શરૂઆત કરીશું. ત્યાર બાદ આવી સેવાની માંગણી આખો દેશ કરશે.
There's a saying, 'you can't stop the idea whose time has come;' they (Centre) didn't allow us to implement it in Delhi, no problem, we'll do it in Punjab & country will demand it. It'll get implemented in the country, like mohalla clinics: AAP convener & Delhi CM Arvind Kejriwal pic.twitter.com/DfYI7QvgxX
મહત્વનું છે કે હાલમાં જ થયેલી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે, તેમની સરકાર ડોરસ્ટેપ ડિલીવરી સેવાઓ લાગૂ કરશે. આપની સરાકરે સૌથી પહેલા આ સિસ્ટમ દિલ્હીમાં રજૂ કરી હતી. ભગવંત માને કહ્યું કે, દિલ્હીમાં પણ આ સ્કીમ અરવિંદ કેજરીવાલે લાગૂ કરી હતી. જો કે, આપને જણાવી દઈએ કે, આ સ્કીમ દિલ્હીમાં હાલમાં લાગૂ નથી, તેના પર રોક લગાવેલી છે.
દિલ્હીમાં ડોર સ્ટેપ ડિલીવરી
દિલ્હી સરકારે ડોરસ્ટેપ ડિલીવરી યોજના અંતર્ગત કેજરીવાલ સરકારે જાતિ અને વિવાહ પ્રમાણપત્ર. ડ્રાઈવિંગ લાયસન્સ અને વા પાણી કનેક્શન સહિત 40 જરૂરી સેવાઓની હોમ ડિલીરવરીનું વચન આપ્યું હતું. 2018માં દિલ્હીમાં કેજરીવાલ સરકારે ડોરસ્ટેપ યોજના માધમયથી શાસનને લોકોના દરવાજા સુધી પહોંચાડવાનું હતું. પણ દિલ્હીમાં રાશનની ડિલીવરી નથી થતી.
કેન્દ્રની મોદી સરકારે દિલ્હી સરકારના ખાદ્ય પુરવઠા સચિવને એક પત્ર લખીને કહ્યું હતું કે, આ યોજનાને શરૂ ન કરવામા આવે. જ્યારે કેજરીવાલ સરકારે આ યોજના માટે ટેન્ડર પણ જાહેર કરી ચુકી હતી અને 25 માર્ચથી તેને લોન્ચ કરવાની હતી. કેન્દ્રની આ પ્રકારની હરકત બાદ આપ સરકારે પૂછ્યું હતું કે, મોદી સરકાર રાશન માફિયોને ખતમ કરવાની વિરુદ્ધમાં શા માટે છે ?
સરકારે આપ્યો હતો આ તર્ક
દિલ્હી સરકાર તરફથી તે સમયે કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દિલ્હીમાં 25 માર્ચે શરૂ થનારી રાશનની ડોર સ્ટેપ ડિલીવરી યોજના પર રોક લગાવી દીધી છે. કેન્દ્ર કહ્યું હતું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત રાજ્યોને રાશન આપે છે. એટલા માટે તેમા કોઈ ફેરફાર કરી શકાય નહીં.