બ્રેકિંગ ન્યુઝ
VTV / punjab 424 people security cover withdrawn with immediate effect
Pravin
Last Updated: 10:46 AM, 28 May 2022
ADVERTISEMENT
પંજાબની ભગવંત માન સરકારે મોટો નિર્ણય લેતા 424 VIP લોકોની સુરક્ષા તાત્કાલિક ધોરણે હટાવી દીધી છે. આ લોકોમાં રાજકીય નેતાઓ, સેવાનિવૃત પોલીસ કર્મીઓ અને ધાર્મિક ગુરુઓ પણ સામેલ છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સંબંધિત પોલીસકર્મીઓ અને બાકીના તમામ લોકો કે જેમણી સિક્યોરિટી હટાવી દીધી છે, તેમના જાલંધર કેંટમાં ખાસ રાજ્ય સશસ્ત્ર પોલીસ, જેઆરસીને રિપોર્ટ સોંપવાનો રહેશે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જેમની સુરક્ષા પાછી લેવામાં આવી છે, તેમાં પૂર્વ ધારાસભ્યો અને હાલમાં સેવા આપી રહેલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
Punjab govt withdraws security cover provided to 424 people
— ANI Digital (@ani_digital) May 28, 2022
Read @ANI Story | https://t.co/bO0aR0psCN#Punjab #Bhagwantmann #security pic.twitter.com/Ns5jV91ICo
ADVERTISEMENT
પંજાબના વ્યાસમાં ડેરા સ્વામીની સુરક્ષામાંથી 10 કર્મચારીઓને હટાવી દીધા છે. મઝીઠાથી ધારાસભ્ય ગનીવ કૌર મઝીઠીયાની સુરક્ષામાંથી બે કર્મચારીઓ હટાવ્યા છે. પંજાબના પૂર્વ ડીજીપી ડોગરાની સુરક્ષામાંથી એક કર્મચારી હટાવ્યા છે. તો વળી એડીજીપી ગૌરવ યાદવના સસરા છે, જે હાલામં સીએમઓ છે. આ અગાઉ પંજાબ સરકારે એપ્રિલમાં 184 લોકોની સુરક્ષા પાછી ખેંચી હતી. તેમાંથી પૂર્વ મંત્રી અને પૂ્વ ધારાસભ્ય સહિત અન્ય નેતાઓનો પણ સમાવેશ થાય છે. અહીં ધ્યાન આપનારી વાત એ છે કે, ગત મહિનામાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહના દિકરા રનિંદર સિંહ અને કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ સિંહ બાઝવાવેરેની સુરક્ષા પાછી લઈ લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.