બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / punjab 424 people security cover withdrawn with immediate effect

BREAKING / પંજાબ સરકારનો મોટો નિર્ણય: 424 નેતાઓ અને ધર્મગુરૂઓની VIP સિક્યોરિટી હટાવી દીધી

Pravin

Last Updated: 10:46 AM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબની ભગવંત માન સરકારે મોટો નિર્ણય લેતા 424 VIP લોકોની સુરક્ષા તાત્કાલિક ધોરણે હટાવી દીધી છે.

  • પંજાબ સરકારનો મોટો નિર્ણય
  • VIP લોકોની સિક્યોરિટી હટાવી દીધી
  • પૂર્વ નેતાઓ અને ધર્મગુરૂઓની સુરક્ષા હટી

પંજાબની ભગવંત માન સરકારે મોટો નિર્ણય લેતા 424 VIP લોકોની સુરક્ષા તાત્કાલિક ધોરણે હટાવી દીધી છે. આ લોકોમાં રાજકીય નેતાઓ, સેવાનિવૃત પોલીસ કર્મીઓ અને ધાર્મિક ગુરુઓ પણ સામેલ છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સંબંધિત પોલીસકર્મીઓ અને બાકીના તમામ લોકો કે જેમણી સિક્યોરિટી હટાવી દીધી છે, તેમના જાલંધર કેંટમાં ખાસ રાજ્ય સશસ્ત્ર પોલીસ, જેઆરસીને રિપોર્ટ સોંપવાનો રહેશે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જેમની સુરક્ષા પાછી લેવામાં આવી છે, તેમાં પૂર્વ ધારાસભ્યો અને હાલમાં સેવા આપી રહેલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. 

પંજાબના વ્યાસમાં ડેરા સ્વામીની સુરક્ષામાંથી 10 કર્મચારીઓને હટાવી દીધા છે. મઝીઠાથી ધારાસભ્ય ગનીવ કૌર મઝીઠીયાની સુરક્ષામાંથી બે કર્મચારીઓ હટાવ્યા છે. પંજાબના પૂર્વ ડીજીપી ડોગરાની સુરક્ષામાંથી એક કર્મચારી હટાવ્યા છે. તો વળી એડીજીપી ગૌરવ યાદવના સસરા છે, જે હાલામં સીએમઓ છે. આ અગાઉ પંજાબ સરકારે એપ્રિલમાં 184 લોકોની સુરક્ષા પાછી ખેંચી હતી. તેમાંથી પૂર્વ મંત્રી અને પૂ્વ ધારાસભ્ય સહિત અન્ય નેતાઓનો પણ સમાવેશ થાય છે. અહીં ધ્યાન આપનારી વાત એ છે કે, ગત મહિનામાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહના દિકરા રનિંદર સિંહ અને કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ સિંહ બાઝવાવેરેની સુરક્ષા પાછી લઈ લીધી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

VIP security cm bhagwant mann punjab government પંજાબ સરકાર સિક્યોરિટી Punjab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ