કન્નડ એક્ટર પુનિત રાજકુમારનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. જેના કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
સાઉથના સુપરસ્ટારનું 46 વર્ષની વયે નિધન
પુનીત રાજકુમારનું હાર્ટ એટેકથી અવસાન
સોનુ સુદ અને વિરેન્દ્ર સહેવાગે આપી શ્રદ્ધાંજલિ
પુનીતનું નિધન
સવારે 11 વાગે હાર્ટ એટેક આવતાં તેને લોકલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેને બચાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પરંતુ આખરે તેમણે શ્વાસ છોડી દીધા. પુનીત માત્ર 46 વર્ષનો હતો.
યારથી અપ્પુ કહે છે ચાહકો
અભિનેતા પુનિથને ફેન્સ અપ્પુ કહે છે. તે દિગ્ગજ અભિનેતા રાજકુમાર અને પર્વતમ્માનો પુત્ર છે. તેણે 29 થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. તેમની ફિલ્મનું નામ 'બેટ્ટાડા હુવુ' હતું, જે 1985માં રિલીઝ થઈ હતી. એટલું જ નહીં, તેણે ચાલીસુવા મોડાગાલુ અને યેરાડુ નક્ષત્રગાલુમાં તેના અભિનય માટે કર્ણાટક રાજ્ય પુરસ્કારમાં શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ જીત્યો.
ક્રિકેટર વેંકટેશે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમનું નિધન થયું છે. ક્રિકેટરે લખ્યું, 'ખૂબ જ દુઃખની વાત છે કે અભિનેતા પુનીત રાજકુમાર નથી રહ્યા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.'' આ સાથે તેણે ચાહકોને શાંતિ જાળવવા અને તેમના પરિવારને ટેકો આપવાની પ્રાર્થના કરી.
Saddened to hear about the passing away of #PuneethRajkumar . Warm , and humble, his passing away is a great blow to Indian cinema. May his soul attain sadgati. Om Shanti. pic.twitter.com/YywkotiWqC
નાજુક હતી હાલત
પુનિતની હાલત ખરાબ હતી. તેને સવારે 11 વાગે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં તેને લોકલ હોસ્પિટલ લઇને ગયા હતા. ડૉક્ટરે કહ્યું કે પુનીતની હાલત નાજુક હતીઅને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે પુનીતને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ દવાખાનામાં તેનો ઇકો કાર્ડિયોગ્રામ કરવામાં આવ્યો અને તેના રિઝલ્ટથી જાણવા મળ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે. ડૉક્ટરનું કહેવું છે કે પુનીતની હાલત નાજુક છે અને તબિયત વધારે બગડતી જઇ રહી છે. તેનો ICUમાં ઇલાજ ચાલી રહ્યો છે.
ફેન્સને થઇ રહી છે ચિંતા
પબ્લિકમાં લોકોને ખબર પડી કે પુનીતને હાર્ટ એટેક આવ્યો છે ત્યારથી ફેન્સ ચિંતામાં પડી ગયા છે. વિક્રમ હોસ્પિટલ બહાર ફેન્સની ભીડ જમા થઇ ગઇ છે. તેના માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. પોલીસે ઓફિશ્યલી દવાખાના બહાર સિક્યોરીટી લગાવી દીધી છે. કર્ણાટકના મુખ્યમંત્રી યશ અને અન્ય સિતારા પણ હોસ્પિટલ લઇ રહ્યાં છે.