દિલ્હી હિંસા મામલે આમ આદમી પાર્ટીના પાર્ષદ (કોર્પોરેટર) તાહિર હુસૈન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવ્યા બદા આમ આદમી પાર્ટી દ્વારા એકશન લેવામાં આવ્યું છે. પાર્ટીએ તાહિર હુસૈનને પાર્ટીની બહારનો રસ્તો (સસ્પેન્ડ) બતાવી દીધો છે.
તાહિર હુસૈનને AAP કર્યાં સસ્પેન્ડ
તાહિર હુસૈનન પર હત્યાનો કેસ દાખલ
દિલ્હી હિંસાને લઇને તાહિર હુસૈન અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યા, આગચંપી અને હિંસા ફેલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ દયાલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો છે. આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાંચ કરશે. જેને લઇને આમ આદમી પાર્ટીએ તાહિર હુસૈનનું પ્રાથમિક સભ્યતા પદ સસ્પેન્ડ કરી દીધું છે.
તાહિર હુસૈનને પર આઇબીના કર્મચારી અંકિત શર્મની હત્યાનો આરોપ છે. જ્યારે પોસ્ટમાર્ટમના રિપોર્ટમાં અંકિત શર્માના શરીર પર ચપ્પાનાં ઘાના નિશાન હોવાનો ખુલાસો થયો છે. અંકિતના પેટમાં અને છાતીમાં ચપ્પાના નિશાન મળ્યાં છે.
આ અગાઉ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરતાં તાહિર હુસૈનના ખજૂરી વિસ્તારમાં આવેલા ઘરને સીલ કરી દીધું. તાહિર હુસૈનના ઘરની અગાશીમાંથી પથ્થર, ગુલેલ અને પેટ્રોલ બોમ્બ મળી આવ્યાં હતા.
એટલું જ નહીં સોશિયલ મીડિયામાં થયેલા એક વીડિયો વાયરલ થયો છે, જેમાં હિંસક ટોળું એક મકાનના અગાશીમાંથી પથ્થર અને પેટ્રોલ બોમ્બ નીચે ફેંકી રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હિંસક ટોળુ જે મકાનની અગાશીમાંથી હુમલો કરી રહ્યું હતું તે મકાન મુસ્તફાબાદ વિધાનસભામાં નહેરૂ વિહાર વોર્ડના AAP કોર્પોરેટર હાજી તાહિર હુસૈનનું છે.
Aam Aadmi Party (AAP) suspends Councilor Tahir Hussain from the primary membership of the party. (file pic) pic.twitter.com/q4gtTpvVwW
હિંસાના વીડિયોને લઇને તાહિર હુસૈનને એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હા મારુ જ મકાન છે પરંતુ જે સમયે હુમલો થયો ત્યારે હું ઘરે નહોતો, ત્યાંથી નીકળી ગયો હતો. તાહિર હુસૈને કહ્યું કે અંકિતના મોતતી દુઃખી છું. અંકિતના પરિવાર સાથે છું.
CM કેજરીવાલે શું કહ્યું ?
આ અગાઉ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનને લઇને અરવિંદ કેજરીવાલને સવાલ કરવામાં આવ્યો ત્યારે કેજરીવાલે કહ્યું, જે પણ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેને કડક સજા મળવી જોઇએ. જો આમ આદમી પાર્ટીનો કોઇ વ્યક્તિ દોષીત સાબિત થશે તો તેને વ્યક્તિને બે ગણી સજા થવી જોઇએ. રાષ્ટ્રીય સુરક્ષાને લઇને કોઇ રાજનીતિ થવી ન જોઇએ.