પુનાની કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ પૂનાવાલાએ કહ્યું કે આવનારા 2 અઠવાડિયામાં કંપનીની 'Covishield'નો ઈમરજન્સી માટે ઉપયોગ કરાઈ શકે છે. આ સાથે જ આવનારા જુલાઈ 2021 સુધીમાં સરકાર વેક્સીનના 40 કરોડ ડોઝ ખરીદી શકે છે. 'Covishield' ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકા દ્વારા SIIની સાથે તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીન છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ પૂનાવાલાએ આપ્યું નિવેદન
જુલાઈ 2021 સુધીમાં સરકાર વેક્સીનના 40 કરોડ ડોઝ ખરીદી શકે છે
'Covishield'નો ઈમરજન્સી માટે ઉપયોગ કરાઈ શકે છે
ભારતને પહેલાં જ વેક્સીન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે
આ મહિનાની શરૂઆતમાં જ અદાર પુનાવાલાએ કહ્યું કે પુનાની SII ભારતને પહેલાં જ વેક્સીન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પૂનાવાલાએ પીએમ મોદીના સંવાદદાતાઓને કહ્યું કે આ ખાસ વાત છે અને તમારે તમારા દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ પછી અન્ય દેશ સાથે કરાર કરાશે. પૂનાવાલાએ એમ પણ કહ્યું કે શરૂઆતમાં વેક્સીન ભારતમાં વહેંચાશે અને પછી COVAX દેશો પર ધ્યાન અપાશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા ઈંગ્લેન્ડ અને યૂરોપીય બજારોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રાથમિકતા COVAX દેશ છે.
વેક્સીન કરારને લઈને પુનાવાલાએ કહી આ વાત
ભારત સરકારની સાથે વેક્સીન કરારમાં અદાર પૂનાવાલાએ કહ્યું કે અત્યાર સુધી અમારી પાસે ભારત સરકારની સાથે લેખિત રીતે કોઈ કરાર નથી કે તેઓ કેટલા ડોઝ ખરીદશે. પણ એવા સંકેત છે કે જુલાઈ 2021 સુધી તેઓ 30-40 કરોડ ડોઝ ખરીદશે.
પીએમ મોદીનો 3 શહેરોનો પ્રવાસ
શનિવારે પીએમ મોદીએ 3 શહેરોમાં 3 કોરોના વેક્સીન બનાવનારી કંપનીઓની મુલાકાત લીધી હતી. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં પીએમ મોદીએ કોરોના વેક્સીનને લઈને મુલાકાત લીધી અને સાથે દિલ્હી જવા રવાના થયા હતા.