દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સાથે 29 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આ ભયંકર સ્થિતિની વચ્ચે રાજ્ય સરકારે હવે મૃતદેહોના એન્ટીજન ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત હવે હોસ્પિટલમાં આવનારા તમામ મૃતદેહોના એન્ટીજન ટેસ્ટ કરીને એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે તે કોરોનાગ્રસ્ત હતો કે કેમ.
મૃતદેહોના એન્ટીજન ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે
ટીબીની તપાસવાળા ટેસ્ટને પણ પરવાનગી આપી છે
લાશોની ઓટોપ્સી કરનારા ફોરેન્સિક હેલ્થ કેર વર્કરના જીવને પણ ખતરો
સરકારે હાલમાં આ માટે સર્ક્યુલર જાહેર કરીને ટીબીની તપાસવાળા ટેસ્ટને પણ પરવાનગી આપી છે. આ ટેસ્ટના માધ્યમથી મરનાર વ્યક્તિને કોરોના હતો કે નહીં તે જાણી શકાશે. જાણકારી મળી ગયા પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણની હાલત એવી છે કે રાજ્યમાં શવગૃહ ફુલ થઈ ગયા છે. સાસૂન સરકારી હોસ્પિટલમાં એક દિવસમાં અંદાજે 40-50 લોકોના મોત થઈ રહ્યા છે. ઓછામાં ઓછા 15 લોકો આવે છે જે મરી ગયા હોય છે. ત્યારે નાગપુરના સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રોજના અંદાજે 30-40 મોત થઈ રહ્યા છે. અહીં ઓછામાં ઓછા 5-10 મરેલા લોકોને લાવવામાં આવે છે.
રાજ્યમાં સ્વાસ્થ્ય ઓફિસરોનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોનાને લઈને મૃતદેહોના એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી 1 કલાકમાં જાણી શકાશે કે તે કોરોના ગ્રસ્ત હતો કે નહીં. એ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવશે. તેમના અંતિમ સંસ્કારમાં સરકાર મદદ કરશે.
21 ઓગસ્ટના રોજ જાહેર કરવામા આવેલા સર્ક્યુલરમાં એન્ટીજન ટેસ્ટના માધ્યમથી કોરોનાની ખોટો રિપોર્ટ સામે આવવાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લાશોની ઓટોપ્સી કરનારા ફોરેન્સિક હેલ્થ કેર વર્કરના જીવને પણ ખતરો છે. અત્યાર સુધા આઈસીએમઆરના દિશા નિર્દેશ અને રાજ્યની સલાહના આધારે ફોરેન્સિક ઓટોપ્સી બંધ કરવાના સંકેત આપવામાં આવ્યા હતા.