મહારાષ્ટ્રના પૂણેમાં મોટી દૂર્ઘટના ઘટી છે. કોંઢવામાં દિવાલ ધરાશયી થતાં 14 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જો કે હજી પણ દિવાલની નીચે દટાયાં હોવાની આશંકા છે. હાલમાં એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે.
મહારાષ્ટ્રના પૂણેમાં મોટી દૂર્ઘટના અહેવાલ પ્રાપ્ત થયા છે. પૂણેના કોંઢવામાં દિવાલ ધરાશયી થઇ જતાં 14 લોકોનાં મોત નિપજ્યાં છે. દૂર્ઘટના બાદ રેસક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. જો કે મળતાં અહેવાલ મુજબ ભારે વરસાદના કારણે દિવાલ ધરાશયી થઇ જતા કાટમાળ નીચે દટાતાં 14 લોકોના મોત નિપજ્યાં છે. જો કે કાટમાળ નીચે 17 લોકો દટાયા હોવાની આશંકા છે.
મળતાં અહેવાલ મુજબ કોંઢવા વિસ્તારમાં ઝૂંપડી પર દિવાલ ધરાશયી થઇ. આ દૂર્ઘટનામાં હજી પણ ત્રણ લોકો દટાયા હોવાની આશંકા છે. જેમને લઇને રેસક્યુ કરવામાં આવી રહ્યું છે. આ દૂર્ઘટના વરસાદના કારણે ઘટી હોવાનું અનુમાન છે. 60 લાંબી કપાઉન્ડની દિવાલ પાસે રહેલી ઝૂપડી પર પડી હતી જેમાં લોકો સૂતા હતા.
ફાયર બ્રિગેડની ટીમના જણાવ્યા અનુસાર મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે.
મુંબઇમાં કરન્ટ લાગવાથી બે લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અનેક વિસ્તારમાં વૃક્ષ પડી જવાથી કેટલાક લોકોને ઇજા પહોંચી છે. પૂણેમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.