આજે દેશ પોતાના વીર સપૂતોને યાદ કરી રહ્યો છે ત્યારે પુલવામા હુમલામાં શહીદ એક જવાનના પરિવારની આ કહાણી રડાવી મૂકશે.
પુલવામા હુમલામાં શહીદ થયો એકનો એક દીકરો
આજે પણ દીકરાનું એટલું જ ધ્યાન રાખે છે ઘરડા મા બાપ
શહીદ દીકરાની તસવીરને ખોળામાં લઈને સુવડાવે કે મા
ભારત માતા માટે દીકરો શહીદ
પુલવામાના હુમલામાં પંજાબના રોપડ જિલ્લાના કુલવિંદર સિંહ પણ શહીદ થયા હતા. 26 વર્ષના કુલવિંદર પોતાના મા-બાપની એકમાત્ર સંતાન હતા અને તેમણે રાષ્ટ્ર કાજે સર્વોચ્ચ બલિદાન આપ્યું.
આજે પણ પોતાના દીકરાનું કામ કરે છે ઘરડા મા બાપ
કુલવિંદરના ગયા બાદ હવે આ શહીદના ઘરડા માતા પિતાનું કોઈ સગું નથી. તેમનો એક દીકરો હતો અને એ પણ હવે દુનિયામાં નથી. જોકે કુલવિંદરને આજે પણ તેના માબાપ ભૂલાવી શક્યા નથી.
કાળજાના કટકાની તસવીરને લઈને લાડ લડાવે છે મા
દરરોજ કુલવિંદરની ચાદર બદળવાથી લઈને સફાઇ સુધીની બધુ જ કામ આ માબાપ કરે છે. રાત્રે તેની તસવીરને પ્રણામ કરે છે અને તે બાદ વૃદ્ધ મા દીકરાને ખૂબ લાડથી સુવડાવે છે. ઘણીવાર તે પોતાના કાળજાના કટકાની તસવીર લઈને ખોળામાં રાખે છે અને તેને સુવડાવે છે. મા કહે છે કે તેમને એવું લાગે છે કે દીકરો તેમના ખોળામાં સૂઈ રહ્યો છે.
દરરોજ ચા પણ બંને પોતાના દીકરાની તસવીર સાથે પીવે છે
ઘરડા મા બાપ આજે પણ કુલવિંદરનું એટલું જ ધ્યાન રાખે છે અને જતન કરે છે. દરરોજ સવારે ચા પણ તસવીર સામે મૂકે છે. આજે પણ શહીદના રૂમને સજાવીને રાખવામાં આવ્યો છે. અને ઘણી બધી તસવીરો લગાવવામાં આવી છે. કુલવિંદરના મા-બાપ કહે છે કે તેમને એવો અનુભવ થાય છે કે તેમનો દીકરો ભલે શહીદ થઈ ગયો હોય પણ આજે જાણે તે આસપાસ જ છે એવું લાગે છે.