પુલવામા કેસમાં લગભગ પોણા બે વર્ષ બાદ એક મોટું અપડેટ આવ્યું છે. 40 જવાનો પર થયેલા જીવલેણ હુમલા મામલે હવે NIAએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દિધી છે. જમ્મૂની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ 5 હજારથી વધુ પાનાની છે.
ચાર્જશીટમાં જૈશ એ મોહમ્મદના આતંકીઓનો ઉલ્લેખ
ચાર્જશીટમાં જૈશનો આતંકી મસૂદ અઝહર અને તેના ભાઈ અબ્દુલ રઈસનું નામ
જૈશના કેટલાક કમાન્ડરના નામ પણ ચાર્જશીટમાં સામેલ
જેમાં જૈશ એ મોહમ્મદના આતંકીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ચાર્જશીટમાં જૈશનો આતંકી મસૂદ અઝહર અને તેના ભાઈ અબ્દુલ રઈસનું નામ સામેલ છે. આ સાથે જ જૈશના કેટલાક કમાન્ડરના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે.
14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરફીએફના જવાનો પર પાકિસ્તાનના ઈશારે હુમલો થયાના તારણ પર NIAની ટીમ પહોંચી છે. અને આ કેસમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ થઈ છે. NIAની ટીમની તપાસમાં જોવા મળ્યું છે કે હુમલામાં વપારેલા 20 કિલો આરડીએક્સને પાકિસ્તાનથી લવાયો હતો.
મળતી માહિતી મુજબ આરડીએક્સ સહિતના અન્ય વિસ્ફોટકને આતંકવાદી પીઠ પર લાદીને પાકિસ્તાનથી લાવ્યા હતા. આરોપી ઈકવાબ રાદરે આને હુમલા પહેલા ઉમર ફારુક નામના એક આંતકીન રાતના અંધેરામાં સીમા પાર કરાવીને ઘાટીમાં લાવવામાં આવ્યો હતો. NIAને આના વીડિયો પુરાવા પણ મળ્યા છે. જેમાં અમાસની રાતે ઘૂસણખોરીની રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વીડિયો ઉમર ફારુકના ફોનમાંથી મળ્યો છે.
સૂત્રોના જણાવ્યાનુંસાર ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીએ હુમલામાં ઉપયોગ કરાયેલા અમોનિયમ નાઈટ્રેટ અને નાઈટ્રો ગ્લિસ્રીન જેવા પદાર્થો સ્થાનીક સ્તરે એક્ઠા કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકિયોએ જમ્મુ કાશ્મીરમાં આ વિસ્ફોટો માટે ઓનલાઈન ખરીદી પણ કરી હતી.
14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરફીએફના જવાનો પર પાકિસ્તાનના ઈશારે પુલવામામાં હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાને અંજામ દેનારો આદિલ અહમદ ડાર, આઈઈડી બનાવનાર કામરાન, સરહદ પારથી આવેલો ઉમર ફારુક એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. અ કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરાઈ છે.