અજય દેવગન માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની અપકમિંગ ફિલ્મ 'ટોટલ ધમાલ' પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય. ફિલ્મના મેકર્સે આ નિર્ણય જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં CRPF જવાનો પર થયેલા આતંકી હુમલા પછી લેવામાં આવ્યો છે. ફિલ્મના એક્ટર્સ અનિલ કપૂર અજય દેવગન અને રિતેશ દેશમુખને ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. આ સાથે 'ટોટલ ધમાલ' ની ટીમે હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે.
In light of the current situation the team of Total Dhamaal has decided to not release the film in Pakistan.
આ હુમલા પછી પાકિસ્તાની કલાકારોને બોલિવૂડમાં કામ કરવા પર પ્રતિંબધ લગાવવાની માંગ કરવામાં આવી છે. ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
એસોસિયેશને એક નિવેદન જારી કર્યુ કે ''એસોસિયેશને પુલવામામાં હુમલાની નિંદા કરી છે. અમારી સાંત્વના પીડિત પરિવારની સાથે છે. અમે પાકિસ્તાની એક્ટર્સ અને આર્ટિસ્ટને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. જો કોઇ પાક આર્ટિસ્ટની સાથે કામ કરે છે તો તેણે એસોસિયેશનમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવશે અને તેમના વિરુદ્ઘ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.''
FWICE - the umbrella organisation of 24 crafts - organises solidarity march at Film City gate today [Sunday] *from 2 pm to 4 pm* to pay respect to the martyrs of #PulwamaAttack... Ashoke Pandit [Chief Advisor FWICE and President IFTDA] pic.twitter.com/m3IWaQhRMz
મુંબઇની ફિલ્મ સિટીમાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને ઇમ્પ્લૉઇઝ (FWICE)એ રવિવારને બ્લેડ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હુમલામાં શહીદ જવાનોની શ્રદ્ઘાજલિ આપવામાં આવી અને તમામ પ્રકારનું શૂટિંગ રોકી દેવામાં આવ્યુ હતુ.
આ સાથે એક્ટર અને સાંસદ પરેશ રાવલે પણ ન્યૂઝ ચેનલોને અપીલ કરી કે ''કોઇ પાકિસ્તાનીને શોમાં ના બોલાવે.''