જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં CRPFનાં કાફલા પર થયેલ હુમલાનાં વિરોધમાં શુક્રવારનાં રોજ જમ્મુ બંધ દરમ્યાન જબરદસ્ત વિરોધ પ્રદર્શન થયો. લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો જાહેર માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવા નીકળી પડ્યાં અને ચાર રસ્તાઓને જામ કરી દીધાં. પાકિસ્તાનનાં ઝંડાઓ પણ સળગાવીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. ટાયરો સળગાવ્યાં. બજારો પણ હાલમાં સંપૂર્ણ રીતે બંધ છે.
ગુજ્જરનગર વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગચંપી પણ કરી દેવાઇ છે. જો કે બે જૂથોમાં થયેલ પથ્થરબાજીમાં ડીઆઇજી વિવેક ગુપ્તા સહિત લગભગ 40 લોકો ઘાયલ પણ થયાં છે. હાલમાં હાલત પણ ખૂબ તણાવપૂર્ણ જોવા મળી રહેલ છે. જગ્યા-જગ્યાએ સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં આવેલ છે.
આ હુમલાનાં વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સે શુક્રવારનાં રોજ બંધનું એલાન કર્યું હતું. બંધને તમામ રાજનૈતિક અને સામાજિક સંગઠનોને સમર્થન આપ્યું છે. તમામ ખાનગી સ્કૂલો પણ બંધ હતી. કેટલીક સ્કૂલો ખુલ્લી હતી પરંતુ બપોર થતાં-થતાં જ તે પણ બંધ થઇ ગઇ.
પરેશાન અભિભાવક બાળકોને લેવા માટે માતા-પિતા સ્કૂલે પહોંચી ગયાં. લોકોમાં પાકિસ્તાન વિરૂદ્ધ જબરદસ્ત આક્રોશ છે. પ્રદર્શનકારી પાકિસ્તાન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. તેઓનું કહેવું એમ છે કે સરકારે દરેક પરિસ્થિતિમાં હવે આ હુમલાનો બદલો જરૂરથી લેવો જોઇએ.