ગત વર્ષ 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં CRPF (કેન્દ્રીય રિઝર્વ દળ)નાં કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 CRPFના જવાનો શહીદ થયાં હતા. આ હુમલા પાછળ પાકિસ્તાન દ્વારા પ્રોત્સાહિત કરાયેલા આતંકવાદી સંગઠન જૈશે-એ- મહોમ્મદનો હાથ છે. ભારતે વળતો જવાબ આપવા પાકિસ્તાનના બાલાકોટ ખાતે રહેલા જૈશે કેંપ પર હુમલો કર્યો હતો.
સુરક્ષાને ધ્યાનમાં લઈને જવાને વિમાનમાં મુસાફરી કરાવાય છે
સુરક્ષા વ્હિકલની સંખ્યામાં વધારો કરાયો
કોન્વોયની હલચલની ખાસ એસઓપી તૈયાર કરી છે
સરકારના દાવા સામે સવાલો થયા હતા
સરકારે દાવો કર્યો ગતો કે તેણે જૈશ- એ- મોહમ્મદના તમામ આતંકવાદી અડ્ડાઓને ધ્વસ્ત કરી નાંખ્યા છે. જોકે તેમની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યાં હતાં. તત્કાલીન રાજ્યપાલે જણાવ્યું હતું કે આ હુમલાના ઈનપુટ મળ્યાં હતા જેને નજર અંદાજ કરવામાં આવ્યાં હતા. ત્યારે તેને ધ્યાન પર કેમ ન લેવામાં આવ્યા એ અંગે પણ અનેક સવાલો થયાં હતાં.
આ ઘટનાને એક વર્ષ થયું છે. ત્યારે અનેક સવાલો લોકોના મોઢે આવી રહ્યાં છે. જે છે કે શું હવે ફરી આવા કોઈ હુમલા થાય તો તેને રોકવા માટે આપણે તૈયાર છીએ. CRPFનાં કોન્વોય મુવમેન્ટ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ(એસઓપી)માં કેવા પ્રકારના બદલાવ કરવામાં આવ્યાં છે?
શુ બદલાવ થયો?
પુલવામાની ઘટનામાંથી શીખ લેતા CRPFનાં જવાનોને કાફલામાં ન લઈ જઈ તેમને વિમાનમાં લઈ જવામાં આવે છે. એટલું જ નહીં CRPFના જવાનો ફ્રીમાં એક ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હી આવ-જા કરી શકે છે. આ ઉપરાંત અઠવાડિયામાં 3 દિવસ જમ્મુ- કાશ્મીર અને શ્રીનગરનાં જમ્મુ એર ઈન્ડિયાની ફ્લાઈટ ચાલે છે. તેમજ જો કોઈ CRPF જવાન કોઈ પ્રાઈવેટ કંપનીની એરલાઈન્સના વિમાનમાં મુસાફરી કરે છે અને તેનું બિલ મુકે છે તો તેની મુસાફરીના પૈસા પાછા મળી જાય છે.
જોકે હજું પણ CRPF સાથે જોડાયેલા ઉપકરણો અને મહત્વનો સામાન કાફલામાં લવાય છે. સૂત્રોના જણાવ્યાનુંસાર CRPFના કોન્વોયની હલચલની ખાસ એસઓપી તૈયાર કરી છે. જોકે સુરક્ષાના પ્રશ્નથી તે જાણકારી આપી શકાય તેમ નથી.
આ ઉપરાંત ઓપનિંગ પાર્ટીમાં આધુનિક ઈક્વિપમેન્ટ વધારવામાં આવ્યાં. CRPFS એન્ટી સૈબોટોજ ટીમની સંખ્યા પણ વધારવામાં આવી છે. જેમાં બહારના લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ છે.
એટલું જ નહી આઈઈડીનાં ખતરાને જોતા સીઆઈપીએફે કોન્વોય મુવમેન્ટના સમયે લિંક રોડને બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. CRPFનાં સૂત્રોના જણાવ્યાનુંસાર જવાહર ટર્નલથી શ્રીનગર સુધી નેશનલ હાઈવે પર અલગ અલગ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યાં છે. જેનાથી સુરક્ષા દળની તમામ મુવમેન્ટ પર નજર રાખી શકાય છે.
આ ઉપરાંત કાફલાની ગાડિઓની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. સાથે સાથે બુલેટ પ્રુફ એન્ટીમાઈન વ્હિકલની સંખ્યા પણ ડબલ કરી દીધી છે. આ ઉપરાંત ક્રિટિકલ પરિસ્થિતિમાં રિસ્પોન્સ વ્હીકલની સંખ્યામાં વધારો કરી દીધો છે.