જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલા બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરી દીધા છે. આટલું જ નહીં મોદીની સાથે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ પોતાના રાજકીય કાર્યક્રમને આજ માટે રદ કર્યા છે. તમને જણાવી દઇએ કે આ આંતકી હુમલામાં અત્યાર સુધી 37 જવાનો શહીદ થયા હોવાની માહિતી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે મધ્યપ્રદેશના ઇટારસીમાં ચૂંટણી રેલી કરવાની હતી આ ઉપરાંત પમ એમના રાજકીય કાર્યક્રમ હતા જે એમને પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોના કારણ રદ કરી દીધા છે. જાણવા મળી રહ્યું છે કે શહીદ જવાનોના પાર્થિવદેહને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. એના માટે ગાજિયાબાદના એરબસથી 17 વિમાના રવાના થયા છે. દિલ્હીમા પાલમ એરપોર્ટ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ શ્રદ્ધાંડલિ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લેશે. અહીંયાથી તમામ શહીદોના પાર્થિવગેહને એમના ઘરે મોકલવામાં આવશે.
Prime Minister Narendra Modi's public meeting in Itarsi Madhya Pradesh has been cancelled for today. (File pic) pic.twitter.com/YvgGuC8JAw
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ તમામા રાજકીય કાર્યક્રમોને રદ કરી દીધા છે. અમિત શાહ આજે છત્તીસગઢ અને ઓડિશા જવાના હતા પરંતુ આતંકી હુમલાને કારણે એમને પણ રદ કરી દીધા. જણાવી દઇએ કે કલ્યાણ માર્ગ પર સીસીએસની બેઠક થઇ. એમાં પુલવામા હુમલાને લઇને આગળની કાર્યવાહી પર પીએમ મોદી નાણા મંત્રી અરુણ જેટલી રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગૃહમંત્રી રાજનાથ સિંહે ભાગ લીધો હતો.