પુલવામા આંતકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા છે. હુમલો એટલો ઘાતક હતો કે શહીદ જવાનોની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. જોકે આધારકાર્ડ આઇડી કાર્ડ અને અન્ય સામાનની મદદથી શહીદોની ઓળખ કરી. અધિકારીએ જણાવ્યુ કે શહીદોની ઓળખ આધારકાર્ડ દળ સુરક્ષા આઇડી પાન કાર્ડ અથવા તેમના ખિસ્સા કે બેગમાંથી મળેલી રજાના આવેદનપત્ર પરથી કરવામાં આવી.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ''કેટલાક શહીદોના પાર્થિવ દેહની ઓળખ તેમને હાથમાં પહેરેલી ઘડિયાળ અથવા તેમના પર્સની મદદથી થઇ. આ સામાન તેમના સાથીદારોએ ઓળખી કાઢ્યો. '' આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના એટલી ભયાનક હતી કે સ્થાનિકોનું હૃદય દ્રવી ઉઢ્યુ. હુમલામાં વપરાયેલા વિસ્ફોટકો એટલા શક્તિશાળી હતા કે ઘડાકાનો અવાજ 10-12 કિલોમીટર સુધી સંભળાયો.
સ્થાનિકોએ જણાવ્યુ કે ''હુમલામાં શહીદ થયેલા જવાનો મૃતદેહ એટલા ક્ષતિગ્રસ્ત થયા કાશ્મીરના રસ્તા પર પડ્યા. કેટલાક મૃતદેહોની હાલત એટલી ખરાબ હતી ઓળખ કરવામાં પણ ખૂબ જ સમય લાગ્યો. ઘડાકાનો અવાજ સંભાળતા જ લોકો જીવ બચાવીને નાસવા લાગ્યા હતા. ''
અમેરિકાએ કરી સહયોગની વાત:
અમેરિકા સહિત ઘણા દેશના લોકોએ 'આંતકની વિરુદ્ઘ ભારત સાથે છે.' અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે શુક્રવારે ભારતીય સમકક્ષ અજીત ડોભાલની સાથે ફોન પર વાત કરી. કહ્યુ કે ''અમેરિકા આતંકની વિરુદ્ઘ ભારત સાથે છે અને ભારતની આત્મરક્ષાનો પૂરો અધિકાર છે.''
જણાવી દઇએ કે CRPFના 2500થી વધુ કર્મચારીઓ 78 વાહનોના કાફલામાં શામેલ હતા. જેમાંથી મોટાભાગના CRPF જવાનો રજાઓએ વિતાવીને ડ્યૂટી પર પરત આવતા હતા ત્યારે જ એક આત્મઘાતી આંતકીએ વિસ્ફટકો ભરેલી કાર જવાનોની બસ સાથે અથડાવી. આ બસમાં 39-44 જવાન સવાર હતા.