ભારતીય સેનાએ કાશ્મીરમાં ગાદિકલના કારેવા વિસ્તારમાં ગુરુવારના રોજ 52 કિલોગ્રામ વિસ્ફોટ્ક મળતા પુલવામા જેવો હુમલોને લઇને ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું. આતંકીઓએ આ વિસ્ફોટક સામગ્રીને પાણીની ટાંકીમાં છુપાવીને રાખ્યો હતો. જે જગ્યા પર પરથી વિસ્ફોટક સામગ્રી મળી છે, આ જગ્યા પર જ ગત વર્ષે પૂલવામામાં હુમલો થયો હતો.
ભારતીય સેનાના અધિકારીઓ જણાવ્યું છે કે વિસ્ફોટક એક નેશનલ હાઇવે પાસેથી જપ્ત કરવામાં આવ્યો. આ વિસ્ફોટ જે જગ્યા પરથી મળી આવ્યો છે, તે જગ્યા પર જ ગયા વર્ષે પુલવામા આતંકવાદી હુમલો થયો હતો, જેમાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. સેનાના એક અધિકારીએ કહ્યું, 'અમે પુલવામા જેવો વધુ એક હુમલો નિષ્ફળ બનાવ્યો છે.'
પાણીની ટાંકીમાંથી મળી આવ્યો વિસ્ફોટક
અધિકારીએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન સવારે આઠ વાગ્યાની આસપાસ પાણીની ટાંકીમાંથી વિસ્ફોટ સામગ્રી મળી આવી. એક અધિકારીએ કહ્યું, વિસ્ફોટક સામગ્રીમાં 416 પેકેટ મળ્યા છે, જેમાં દરેકનું વજન 125 ગ્રામ હતું. તેમણે જણાવ્યું છે કે ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન બાદ અન્ય ટાંકીમાંથી 50 ડેટોનેટર મળી આવ્યાં છે. તેમણે કહ્યું કે વિસ્ફોટકને 'સુપર-90' એટલે 'એસ-90' નામથી ઓળખાય છે.
ગત વર્ષે થયો હતો પુલવામાનો હુમલો
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં 14 જાન્યુઆરી 2019ના સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો. પુલવામાના અવંતિપોરમાં થયેલા આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા.
આ હુમલામાં જૈશ-એ-મહોમ્મદના આતંકીએ IIDથી ભરેલી એક કારનો ઉપયોગ કર્યો હતો, જેને CRPFના જવાનોના કાફિલા સાથે અથડાવી દીધી હતી. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી.