જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ સમી ગઈ છે. સાથે સાથે કહેવાઈ રહ્યું છે કે આતંકવાદીઓ તકનો લાભ લઈ ભાગી ગયા છે. જોકે એક જવાન ઘાયલ થયો હતો.
2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા
અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ
સેનાએ આતંકીઓને ચારેબાજુથી ઘેર્યા
મળતી માહિતી મુજબ સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે પુલવામાના પરિગામ વિસ્તારમાં બન્ને વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યુ હતુ. જેને બદલે સુરક્ષાદળોએ કાઉન્ટર ફાયરિંગ કર્યુ હતુ. સર્ચ ઓપરેશન દરમિયાન આ એન્કાઉન્ટર થયું હતુ.
જ્યારે 44 રાષ્ટ્રીય રાઈફલ્સ સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ વિશેષ અભિયાન ગ્રુપના જવાનો ઈનપુટના આધારે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. ત્યારે સુરક્ષા દળોને આતંકી છુપાયા હોવાની જાણકારી મળી હતી.
સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ અને અંતે સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ થઈ હતી. જો કે સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ ખતમ થઈ ગઈ હતી. ત્યારે મનાઈ રહ્યું છે કે આતંકી ભાગી ગયા હતા.