જયપુરમાં વીરાંગનાઓ વળતર અને નોકરીઓની માગ કરી રહી હતી. આ મામલામાં ભાજપ સાંસદ કિરોડીલાલે ગહેલોત સરકાર પર વીરાંગનાઓનો અવાજ શમવાનો આરોપ મૂક્યો છે.
જયપુરમાં વીરાંગનાઓ સરકાર પાસ ઊઠાવી રહી છે માગ
ભાજપ સરકાર વિરોધી કરી રહી છે માગ
સચિન ગહેલોત પોતાની જ સરકારનાં વિરોધમાં આપ્યું નિવેદન
રાજસ્થાનના જયપુરમાં પુલાવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોની પત્નીઓની હડતાલનો મામલો હવે ગરમાયો છે. ભાજપ આ મામલાને લઈને ગહેલોત સરકારનાં વિરોધમાં રસ્તા પર ઊતરી આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી જયપુરમાં પ્રદર્શનો ચાલી રહ્યાં છે. તો સચિન પાયલટે પણ પોતાની જ સરકાર પર સવાલો ઊઠાવ્યાં છે. તેમણે પુલવામાં શહીદોની વીરાંગનાઓ સાથે પોલીસની ગેરવર્તણૂકને લઈને ચિઠ્ઠી લખી હતી. તેમણે માગ કરી હતી કે ગેરવર્તણૂક કરનારાઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ.
પોલીસ પર થયો હુમલો
તો આ વચ્ચે કેટલાક કાર્યકર્તાઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો જેમાં પોલીસની ગાડીનો કાંચ તૂટી ગયાં હતાં. તો એક પોલીસકર્મીની લાઠી ખેંચીને કેટલાક કાર્યકર્તાઓએ તેના પર હુમલો કર્યો પરંતુ પદાધિકારીઓની વચ્ચે બચાવ કરીને મામલાને શાંત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના પાર્ટીનાં મુખ્યાલયથી સહકાર ભવનની તરફ નિકળેલા સેંકડો કાર્યકર્તાઓને જ્યારે પોલીસે રોકી ત્યારે બની હતી.
પ્રદર્શનમાં ઘાયલ થયાં લોકો
આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિધાયક મદન દિલાવર ઘાયલ થયાં હતાં તો પોલીસકર્મીઓનાં પગ પર પણ ઘા વાગ્યાં હતાં. જ્યારે બેરીકેડ પાર કરવાનો પ્રયત્ન કરનારાં પ્રદેશાધ્યક્ષ ડો.સતીશ પૂનિયાનાં પગમાં ફરી એ જ જગ્યાએ લાગ્યુ કે જ્યાં તેમને ગત પ્રદર્શન સમયે લાગી હતી.
ભાજપનાં આ કાર્યકતાઓ-નેતાઓ જોડાયા
પ્રદર્શનમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ ડૉ.સતીશ પૂનિયાની સાથે ઉપનેતા પ્રતિપક્ષ ડૉ. રાજેન્દ્ર સિંહ રાઠોડ, સાંસદ ઘનશ્યામ તિવાડી સહિત અનેક નેતાઓ જોડાયા હતા. આશરે અડધો કલાક સુધીનાં વિરોધ પ્રદર્શન બાદ ભાજપ નેતા તેમજ કાર્યકર્તાઓએ ધરપકડ આપી.
વીરાંગનાઓની શું છે માગ?
2019માં થયેલ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 3 સૈનિકોની વીરાંગનાઓ છેલ્લી 28 ફેબ્રુઆરીથી પ્રદર્શન કરી રહી છે. તે નિયમોમાં બદલાવની માગ કરતા કેટલાક દિવસથી CM ગહેલોત સાથે મુલાકાતની માગ કરી રહી હતી. તેમની માગ છે કે ન માત્ર તેમના બાળકો પરંતુ તેમના સંબંધીઓને પણ કરુણાનાં આધાર પર સરકારી નોકરીઓ આપવામાં આવે.
સચિન પાયલટે પોતાની સરકાર પર જ કર્યા પ્રહાર
રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું કે 'માનવું ન માનવું બીજા નંબરની વાત છે પરંતુ વાત સાંભળવામાં કોઈને ઈગો સામે ન આવવો જોઈએ. મારા ઘરે અચાનક આ સૌ આવી ગઈ. મેં તેમની વાત સાંભળી. મહિલાઓ છે, ભાવુંક છે, તેમની માનસિક સ્થિતિ શું હશે, તેમના પર શું વિત્યું હશે. સંવેદનશીલતાથી તેમની વાતોને સાંભળવું જોઈએ, જે સંભવ છે તે જણાવવું જોઈએ.'