જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા મામલે NIAને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સીએ શુક્રવારે આ મામલે પ્રથમ ધરપકડ કરી છે. NIAએ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના ઓવર ગ્રાઉન્ડ વર્કર શાકિર બશીર માગરેની કાશ્મીરથી ધરપકડ કરી છે. શાકિરે આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડારને આશરો આપવા અને મદદ આપી હતી. શાકિર પુલવામાનો રહેનારા છે અને તેમને ફર્નીચરની દુકાન છે.
પુલવામા હુમલાના એક વર્ષ બાદ NIAને મળી મોટી સફળતા
14 ફેબ્રુઆરી 2019એ પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો
આતંકવાદી આદિલ અહમદ ડારે આપ્યો હતો હુમલાને અંજામ
આદિલ અહમદ ડાર જ એ આતંકવાદી હતો જે કારમાં સવાર થઇને સેનાના કાફલામાં જઇ ઘુસ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. શાકિરે ખુલાસો કર્યો કે આદિલ અહમદ ડાર અને વધુ એક અન્ય આતંકવાદી મોહમ્મદ ઉમર ફારૂકે વર્ષ 2018ના અંતથી ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા હુમલા સુધી પોતાના ઘરમાં આશરો આપ્યો હતો.
National Investigation Agency: Today, in a major breakthrough in Pulwama case, NIA arrested one accused Shakir Bashir Magrey, an Over-Ground Worker of JeM. He had provided shelter and other logistical assistance to the suicide-bomber Adil Ahmad Dar. pic.twitter.com/0OwJHR5sZj
શાકિર બશીરે IED બનાવવામાં પણ મદદ કરી હતી. ત્યારે હવે 15 દિવસ સુધી NIAને કસ્ટડીમાં રહેશે. આ દરમિયાન NIA તેને હુમલા સાથે જોડાયેલ વધુ કેટલીક માહિતી મેળવશે.
કેવી રીતે આદિલે કર્યો હુમલો?
14 ફેબ્રુઆરી 2019એ પુલવામામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર CRPFની બસ પર હુમલો કર્યો હતો. બપોરે 3.30 કલાકે આદિલ અહમદ ડાર એક કારમાં આવ્યો અને તેણે CRPFના કાફલામાં કાર ઘુસાડી દીધી. જ્યાર બાદ બસથી ટકરાતા બ્લાસ્ટ થયો અને CRPFના જવાનો ભરેલી બસ ખાખ થઇ ગઇ. બસની આસપાસ જે અન્ય વાહન હતા તેને પણ નુકસાન પહોંચ્યું. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.