જમ્મૂના પુલવામામાં હુમલા બાદ બ્રિટેન સરકાર દ્વારા ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ભારતમાં ટ્રાવેલને લઈને બ્રિટેન સરકારે સૂચના આપી છે.. બ્રિટેને પોતાના નાગરિકોને જમ્મૂના કેટલાક વિસ્તારોમાં પ્રવાસ ન કરવાની સૂચના આપી છે.
પહલગામ ગુલમર્ગ અને સોનમર્ગ પ્રવાસી સ્થળો પર નાગરિકોને ન જવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે વાઘા જમ્મુ શહેર અને લદ્દાખમાં પ્રવાસ માટે લીલી ઝંડી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પુલવામામાં CRPFના જવાનો પર આતંકીઓ હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.
પુલવામામાં CRPF જવાનો પર થયેલા આ આંતકી હુમલો પહેલી વખત નથી. એક વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2018ના આંતકીવાદીઓએ પુલવામાં પંજગામ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આંતકવાદીઓએ CRPFના શિબિર પર હુમલો કરવા કેમ્પમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો પરંતુ જવાનોની સતર્કતાને કારણે તેઓ સફળ ના થયા.
તમને જણાવી દઇએ કે પહેલા જ્યારે સુરક્ષાબળોને ફાકલો ચાલે છે ત્યારે વચ્ચે સિવિલ ગાડીઓને નથી જવા દેવામાં આવતી પરંતુ સ્થિતિ ઠીક રહેતા કાફલાની વચ્ચે અથવા તો આગળ-પાછળ સિવિલની ગાડીઓ ચાલી જે ખતરનાક સાબિત થઇ. CRPFના અધિકારીએ જણાવ્યુ કે ''સ્થાનીય નાગરિક અમારી મૂવમેન્ટથી મુશ્કેલી ના વેઢે આ માટે તેમની ગાડીઓને ફાકલાની આસપાસ જવા-આવવાની પરવાનગી આપવામાં આવી હતી આ રીતે હુમલો કરવાની રીત નવી હતી અને ચોંકાવનારી હતી.'' તેમણે કહ્યુ કે ''સુરક્ષાબળો પોતાની રણનીતિમાં બદલાવ ચોક્કસથી કરશે.''