ગત વર્ષે આજના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (CRPF) ના કાફીલા પર જમ્મૂ-શ્રીનગર નેશનલ હાઇ વે પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ આતંકી ઘટનાની આજે પહેલી વરસી પર PM મોદી, અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહે CRPF ના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
PM મોદીએ ટવિટ કરી જણાવ્યું કે પુલવામાં હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. દેશ શહીદોની શહાદતને ક્યારેય ભુલશે નહીં.
Tributes to the brave martyrs who lost their lives in the gruesome Pulwama attack last year. They were exceptional individuals who devoted their lives to serving and protecting our nation. India will never forget their martyrdom.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદોને નમન કરતાં કહ્યું કે ભારત હંમેશા પોતાના બહાદુર અને તેમના પરિવારના આભારી રહેશે જેમણે માતૃભૂમિની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. અમિત શાહે ટવિટ કરી જણાવ્યું છે કે હું પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપું છે.
I pay homage to the martyrs of Pulwama attack.
India will forever be grateful of our bravehearts and their families who made supreme sacrifice for the sovereignty and integrity of our motherland.
પોતાના વીર જવાનોને યાદ કરતાં CRPF એ કહ્યું કે અમે નથી ભૂલ્યાં કે ન માફ કરીશું. CRPF એ ટવિટ કરતાં કહ્યું કે તમારી બહાદુરીના ગીત, કર્કશ અવાજમાં ખોવાશે નહીં. ગર્વ એટલો હતો કે અમે બહુ સમય રડ્યાં નહીં. અમે ભૂલ્યાં નથી, અમે માફ નહીં કરીએ.
"तुम्हारे शौर्य के गीत, कर्कश शोर में खोये नहीं।
गर्व इतना था कि हम देर तक रोये नहीं।"
WE DID NOT FORGET, WE DID NOT FORGIVE: We salute our brothers who sacrificed their lives in the service of the nation in Pulwama. Indebted, we stand with the families of our valiant martyrs. pic.twitter.com/GfzzLuTl7R