પુલવામામાં સુરક્ષા એજન્સીઓને વિસ્ફોટક લાદેલી કાર કેસમાં બીજી મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કારના માલિકની ઓળખ થઈ ગઈ છે. આ કાર હિદાયતુલ્લાહ નામના વ્યક્તિની છે. જે શોપિયનનો રહેવાસી છે. હિદાયતુલ્લાહ 2019 થી હિઝબુલ મુજાહિદ્દીનનો સક્રિય આતંકવાદી છે.
હિઝબુલના સક્રિય આતંકવાદીની હતી કાર
હિઝબુલ આતંકવાદી શોપિયાનો રહેવાસી હતો
સ આયનાગુંડમાં સફેદ રંગની સેન્ટ્રો કાર દેખાઈ જેમાં હતા વિસ્ફોટક
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામામાં થયેલા હુમલાને પુનરાવર્તિત કરવાનું ષડયંત્ર રચાયું હતુ. જેને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમયસર નિષ્ફળ કરવામાં આવ્યું છે. પુલવામામાં પોલીસને બાતમી મળી હતી કે આતંકીઓ પુલવામા જેવા આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. રાત્રિનાં અગિયાર વાગ્યાની આસપાસ આયનાગુંડમાં સફેદ રંગની સેન્ટ્રો કાર દેખાઈ.
આ કારમાં ટુ-વ્હીલર નંબર પ્લેટ હતી. સુરક્ષાદળોએ કારને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ કારમાં બેઠેલા આતંકવાદીએ યુ-ટર્ન લઈ કાર ચલાવી હતી. આતંકીઓ કાર છોડીને ભાગી ગયા હતા. તરત જ કારની તલાશી લેવામાં આવી. કારની અંદર વિસ્ફોટકોથી ભરેલો વિશાળ બ્લુ ડ્રમ હતો. કારમાં 40 થી 45 કિગ્રા વિસ્ફોટકો ભરેલા હતા.
બોમ્બ ડિસ્પોઝલ સ્વોર્ડને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. તરત જ નજીકના ગામને ખાલી કરાવ્યું હતું અને ત્યારબાદ આ બ્લાસ્ટથી બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. આ સાથે એક મોટું ષડયંત્ર નિષ્ફળ થયુ હતુ. આ તે જ પુલવામા છે. જ્યાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 45 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓનું કાવતરું ઘણું મોટું હતું. બરાબર 2019 ની જેમ. આતંકીઓના પણ આવા જ ઇરાદા હતા. પરંતુ સુરક્ષા દળોએ વિસ્ફોટથી તેમના ઇરાદાને નિષ્ફળ બનાવ્યો હતો.