જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીની સાથે રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ ગૃહપ્રધાન રાજનાથસિંહ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને નાણા પ્રધાન અરૂણ જટેલી ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પુલવામા આતંકી હુમલાને લઇને જણાવ્યું કે સુરક્ષાદળો સાથે પુરો દેશ છે. અમે સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે.
#WATCH PM Modi says "Main aatanki sangathanon ko kehna chahta hun ki woh bahut badi galti kar chuke hain unko bahut badi kemaat chukani padegi." pic.twitter.com/XBL9YLZrVC
CCSની બેઠકમાં આજે સરકારે મોટા નિર્ણયો લીધા હતાં...
1. પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફૅવર્ડ નેશનનો (MFN) દરજ્જો પરત લેવામાં આવ્યો છે. એટલે કે અત્યાર સુધી પાકિસ્તાનને ભારત સાથે ટ્રેડ કરવામાં જે છૂટ મળતી હતી તે તમામ બંધ થઈ જશે.
2. વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અલગ-થલગ કરવા માટે તમામ દેશો સાથે વાત કરશે. દુનિયાની સામે પાકિસ્તાનના આતંકને આશરો આપતા ચહેરાનો પર્દાફાશ કરશે.
3. 1986માં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદની પરિભાષા બદલવા માટે પ્રસ્તાવ પણ આપ્યો હતો. તેને પાસ કરાવવા માટે સંપૂર્ણ કોશિશ કરવામાં આવશે. આ પ્રસ્તાવને પાસ કરાવવા માટે અન્ય દેશો પર પણ દબાવ કરવામાં આવશે.
4. ગૃહમંત્રી રાજનાથ સિંહ શનિવારે સર્વદળીય બેઠક કરશે. આ બેઠકમાં રાજનાથ સિંહ પુલવામા હુમલા પર વિપક્ષી પાર્ટીઓ સાથે વિસ્તારથી ચર્ચા કરશે.
5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આતંકવાદ વિરુદ્ધ ખુલ્લી જંગ છેડી દીધી છે. તેમણે કહ્યું છે કે આતંકવાદીઓએ બહુ મોટી ભૂલ કરી ચૂક્યાં છે. તેમણે સેનાને છૂટો દોર આપી દીધો છે.
જેટલીએ શું કહ્યું?
જ્યારે બેઠકને લઇને અરુણ જેટલીએ જણાવ્યું કે વિદેશ મંત્રાલય પાકિસ્તાનને અલગ-અલગ કરવામાં આવશે. જેમાં પાકિસ્તાનને અપાયેલ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લેવાયો. પાકિસ્તાનને દુનિયામાં સામે અલગ-અલગ કરવામાં આવશે.
અરુણ જેટલીએ કહ્યું કે આ હુમલામાં પાકિસ્તાનનો સીધો હાથ છે. જ્યારે મીડીયા દ્વારા શું પગલા લેવામાં આવશે તેવું પુછવામાં આવતા કહ્યું કે ગોપનીય વાતો મીડિયા સમક્ષ જાહેર ન કરી શકાય. જો કે જેટલીએ કહ્યું કે આ હુમલાની દુશ્મનોએ ભારે કિંમત ચુકવવી પડશે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હુમલાની નિંદા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પુલવામામાં થયેલા હુમલાને લઇને કહ્યું કે અમે મોદી સરકારની સાથે છીએ. પુલવામાની ઘટના વ્યક્તિગત નથી સમગ્ર દેશની છે.
Congress President Rahul Gandhi: This is a time of mourning sadness & respect. We are fully supporting the govt of India and our security forces. We are not going to get into any other conversation apart from this. #PulwamaAttackpic.twitter.com/Dkfn5yh3KH
આતંકીઓ દેશને વિભાજીત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આતંકી હુમલો હિન્દુસ્તાનની આત્મા પર થયો છે. અમે દેશ અને સરકારની સાથે છીએ. કોઇપણ તાકાત હિન્દુસ્તાનને તોડી નહી શકે તેમ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું છે.