યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા જમ્મુ કશ્મીરના પુલવામામાં 2019 થયેલા આંતકી હુમલા બાદ પરિવારો ને મળી તેની વેદનાઓને સમજીને તેમને સહાય કરવાનું નક્કી કર્યુ છે જેમાં તેમણે રાજ્યોમાં ફરીને સહાય કરી છે અત્યાર સુધી તે 1.10 લાખ કિલોમીટરની મુસાફરી કરી ચુક્યા છે. શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા 58 લાખની જંગી સહાય ની આર્થિક મદદ કરી હતી.
મોરબીના ગુજરાતી ભામાશાની વાત
શહીદ થયેલા જવાનોના પરિવારોને મળી 1.10 લાખ કીમી અંતર કાપ્યુ
મોરબી તમામ જગ્યાએ આવેલ મુસીબતોમાં અગ્રેસર હોય છે જેમાં પુલવામાં માં થયેલા આતંકી હુમલામાં અનેક આર્મીના જવાનો શહીદ થયા હતા.
આ હુમલામાં આપણા જવાનોની સાથે સાથે યુવા પત્નિઓ ,બાળકો અને વૃદ્ધ માતા પિતાઓના સપનાઓઅને આશાઓએ પણ શહીદી વ્હોરી હતી.
મોરબીના ઉદ્યોગપતિ યુવાને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મળી 1.10 લાખ કીમી કાપી 58 લાખ રૂપિયાની સહાય હાથો હાથ ચૂકવી હતી આગામી 22 ફેબ્રુઆરીથી કેરળ,કર્ણાટક,તમિલનાડુ ના બાકી રહેલા શહીદ જવાનોના પરિવારોને સહાય આપવાનું શરૂ કરશે.
મોરબીમાંથી ઉદ્યોગકારો આર્થિક સહાય માટે આગળ આવ્યા હતા અને એક મેસેજ થી જ કરોડો રૂપિયાનું દાન શહીદોના પરિવારના બેંકોમાં જમા કરાયું હતું તેમજ લોકડાયરો ગોઠવી રૂબરૂ બોલાવી આપવામાં આવ્યા હતા.
શું કહે છે અજય લોરિયા
જમ્મુ કશ્મીરના પુલવામામાં 2019 થયેલા આંતકી હુમલાનું આજે 1 વર્ષ પૂર્ણ થતા આજ રોજ થયેલા શહીદ જવાનોને ભારત માતા એમની આત્માને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના . આવતી તારીખ 22 ના રોજ સાઉથ ના કેરળ ,કર્ણાટક ,તમિલનાડુ માં પુલવામામાં થયેલા શહીદ જવાનને આર્થિક સહાય આપવા માટે જઇ રહ્યો છું.
તેમજ અત્યાર સુધીમાં 1.10 લાખ કિલોમીટર ખેડી ને 58 લાખ ની સહાય કરેલ તેમજ 17 લાખ રૂપિયા ની આર્થિક સહાય આગામી દિવસો માં સાઉથ ના રાજ્ય તેમજ ઉત્તરપ્રદેશ માં શહીદ જવાનોને ઘરે ઘરે જઈને એમના પરિવાર ને મળીને રૂબરૂ આપવામાં આવશે.