ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાએ શનિવારે પોતાની એક રેસ્ટોરાંમાં લાગેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો ફોટો ઢાંકી દીધો. ક્લબે આવો નિર્ણય જમ્મુ-કાશ્મીરના પુલવામામાં કેન્દ્રીય રિઝર્ પોલીસ બળના કાફલા પર થયેલા આંતકી હુમલાના વિરોધમાં લીધો. આ હુમલામાં 40 થી વધુ જવાન શહીદ થઇ ગયા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું માન્ય એકમ સીસીઆઇનું મુખ્યાલય મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં છે.
સીસીઆઇ પરિસરમાં દુનિયાભરના ઘણા પૂર્વ ખેલાડીઓના ફોટા લાગેલા છે. એમાં 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનનો પણ ફોટો છે. સીસીઆઇ અધ્યભ પ્રેમલ અદાણીએ કહ્યું 'આ સંબંધે નિર્ણય શુક્રવારે લેવામાં આવ્યો. સીસીઆઇ રમતોની ક્લબ છે અને અમારે અહીંયા ઘણા ક્રિકેટર્સની તસ્વીર છે. કાશ્મીરમાં થયેલા હુમલાના વિરોધમાં અમે નારાજગી વ્યક્ત કરવા ઇચ્છીએ છીએ.'
એમને કહ્યું કે અમે ઇમરાનના ફોટાને અત્યારે ઢાંકી દીધો છે એના પરથી ક્યારે પડદો હટાવવામાં આવશે એવું કહી શકાય નહીં. ઇમરાન ભારત વિરુદ્ધ આ મેદાન પર 1987માં બે પ્રદર્શની મેચ રમી ચુક્યા છે. એમને અહીંયા એકમાત્ર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. 1989માં નહેરુ કપની એ મેચચમાં એમની કેપ્ટનસીમાં પાકિસ્તાન ટીમને જીત મળી હતી. એ મેન ઓફ ધ મેચ તરીકે પસંદ થયા હતા.