ચેતેશ્વર પુજારા લગભગ ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ચૂક્યો હતો અને તેનું ટેસ્ટ કરિયર પણ પતનના આરે હતું પરંતુ લીડ્સમાં તેણે 91 રન બનાવીને પોતાનું કરિયર બચાવી લીધું હતું.
પુજારાએ બચાવી લીધુ પોતાનું કરિયર
ત્રીજી મૅચમાં બનાવ્યા 91 રન
સુર્યકુમાર યાદવનું પત્તુ કાપી નાંખ્યું
પુજારાએ આ ક્રિકેટર પાસેથી છીનવી તક
એવી ચર્ચા હતી કે ચેતેશ્વર પુજારાની જગ્યાએ સુર્યકુમાર યાદવને ચોથી ટેસ્ટમાં ડેબ્યુ કરવાનો મોકો મળશે પરંતુ પુજારાએ એન્ડ મોમેન્ટ પર 91 રન બનાવીને પોતાની જગ્યા ટેસ્ટમાં બનાવી લીધી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ભલે ચેતેશ્વરે સારુ પફોર્મ ન કર્યુ હોય પરંતુ તેણે ત્રીજી મૅચમાં ખુલીને બેટિંગ કરી અને 91 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારા પાસેથી આટલી શાનદાર ઇનિંગની કોઇને અપેક્ષા નહોતી.
સુર્યકુમારને નહી મળે તક
પુજારાએ લીડ્સમાં 91 રન મેળવીને સુર્યકુમાર પાસેથી ટેસ્ટમાં ડેબ્યુ કરવાનો મોકો છીનવી લીધો છે. એવું માનવામાં આવતું હતુ કે પુજારાની જગ્યાએ સુર્યકુમારને ચાન્સ મળી શકે છે પરંતુ હવે તે પુજારાને રિપ્લેસ નહી કરી શકે.
કેપ્ટન વિરાટ કોહલીએ ઈશાન્તના પ્રદર્શન પર વાત કરવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ એવા સંકેત મળ્યાં હતા કે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવશે. આ દરમ્યાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ગોઠણના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે તેમને ગંભીર ઈજા થઈ નથી. પરંતુ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન બે સપ્ટેમ્બરથી ઓવલમાં યોજાનારી ટેસ્ટ મેચ માટે ટીમમાં સ્થાન બનાવવાના પ્રબળ દાવેદાર છે.