નોરતાના બીજા દિવસે માં દુર્ગાના બીજા સ્વરૂપ માં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માંની પૂજા વિધિ મુજબ કરવાથી દરેક ક્ષેત્રમાં વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે.
માં દુર્ગાના બીજા સ્વરૂપ માં બ્રહ્મચારિણીની કરો પૂજા
વિધિવત રીતે પૂજા કરવાથી તમામ ક્ષેત્રમાં મળશે સફળતા
જાણો, કેવુ છે માં બ્રહ્મચારિણીનુ સ્વરૂપ
માં બ્રહ્મચારિણીની વિધિવત રીતે પૂજા કેવીરીતે કરશો?
પંચાગ મુજબ આસો મહિનાની એકમથી નોરતાની શરૂઆત થાય છે. નોરતાના બીજા દિવસે માં દુર્ગાના બીજા સ્વરૂપ માં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. 27 સપ્ટેમ્બરે માં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી દરેક કામમાં સફળતા પ્રાપ્ત થવાની સાથે સુખ-સમૃદ્ધી મળશે. જાણો માં બ્રહ્મચારિણીની કેવીરીતે કરશો પૂજા અને મંત્ર.
કેવીરીતે પડ્યુ માં દુર્ગાનુ બ્રહ્મચારિણી નામ
પૌરાણિક કથાઓ મુજબ, માં બ્રહ્મચારિણીનો જન્મ પાર્વતીના રૂપમાં પર્વતરાજના ઘરમાં પુત્રી રૂપે થયો હતો. ભગવાન શિવ સાથે લગ્ન માટે નારદજીએ માં પાર્વતીને વ્રત રાખવાની સલાહ આપી હતી. ભગવાન શિવને મેળવવા માટે દેવી માંએ નિર્જળા ઉપવાસ કરીને કઠોર તપસ્યા કરી હતી. હજારો વર્ષ તપસ્યા કર્યા બાદ માં પાર્વતીને તપસ્વી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે.
કેવુ છે માં બ્રહ્મચારિણીનુ સ્વરૂપ
માં દુર્ગાના બીજા અવતાર માં બ્રહ્મચારિણીના સ્વરૂપની વાત કરીએ તો તેમણે જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ પકડ્યુ છે. દેવી બ્રહ્મચારિણી સાક્ષાત બ્રહ્મનુ સ્વરૂપ છે, એટલેકે તપસ્યાનુ મૂર્તિમાન રૂપ છે.
માં બ્રહ્મચારિણીની પૂજા વિધિ
નવરાત્રીના બીજા દિવસે માં દુર્ગાના બીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે ઉઠી બધા કામ પતાવીને સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી લો. ત્યારબાદ માં દુર્ગાનુ સ્મરણ કરો. જો તમે કળશની સ્થાપના કરી છે તો તેની પૂજા વિધિવત રીતે કરો. ત્યારબાદ માં દુર્ગા અને તેના સ્વરૂપ માં બ્રહ્મચારિણીની પૂજા કરો. સૌથી પહેલા માંને જળ અર્પણ કરો. ત્યારબાદ ફૂલ, માળા, રોલી, સિંદૂર ચઢાવો. પછી એક પાનમાં સોપારી, લવિંગ, ઈલાયચી, પતાસા અને સિક્કો રાખીને ચઢાવો. પછી પ્રસાદમાં મિઠાઈ વગેરે ખવડાવી દો. ત્યારબાદ ઘીનો દીવો અને અગરબતી પ્રગટાવો અને દુર્ગા ચાલીસાની સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. ત્યારબાદ હાથમાં એક ફૂલ આપીને માંનુ ધ્યાન ધરો અને તેના મંત્રનો જાપ કરો. અંતમાં ફૂલ માંના ચરણોમાં અર્પણ કરી દો અને વિધિવત રીતે આરતી કરો.