નવરાત્રીમાં આઠમ અને નોમને ખૂબ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે માં ભગવતીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે. શાસ્ત્રોમાં માતાાને પ્રસન્ન કરવાના અમુક ઉપાય પણ જણાવવામાં આવ્યાં છે.
આઠમના દિવસે માં ભગવતીના સિદ્ધ સ્વરૂપોની કરાય છે પૂજા
હિન્દુ ધર્મમાં નવરાત્રી મહાપર્વના છેલ્લા બે દિવસ એટલેકે આઠમ અને નોમને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે માં ભગવતીના સિદ્ધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માં દુર્ગા પાસે ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવે છે. આ વખતે આઠમ 3 ઓક્ટોબરે છે. આ દિવસને દુર્ગાષ્ટમી અથવા દુર્ગોત્સવના નામથી પણ ઓળખવામાં આવે છે.
મહાઅષ્ટમીના દિવસે કરો આ ઉપાય, મળશે સફળતા
આઠમના દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને વ્રતનુ પાલન કરવામાં આવે છે. માન્યતા છે કે મહાગૌરીને પ્રસન્ન કરવાથી જીવનમાં બધા પ્રકારના દુ:ખ, દર્દ દૂર થાય છે અને બધા કામ સફળ થાય છે. આ સાથે શાસ્ત્રોમાં અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને મહાઅષ્ટમીના દિવસે કરવાથી શુભ માનવામાં આવે છે.
અવશ્ય કરો કન્યા પૂજન
મહાઅષ્ટમી અને મહાનવમીના દિવસે કન્યા પૂજનનુ વિશેેષ મહત્વ છે. આ દિવસે નવ કન્યા અને એક બટુકને બેસાડીને ભોગ ધરાવવામાં આવે છે અને તેમને વિદાય આપતા પહેલા દક્ષિણા અથવા ઉપહાર આપવામાં આવે છે. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે.
હવનથી થશે લાભ
હિન્દુ ધર્મમાં હવનને ખૂબ પવિત્ર માનવામાં આવ્યો છે. માં દુર્ગાને સમર્પિત હવન કરવાથી બધા પ્રકારના દુ:ખ, દર્દ દૂર થાય છે અને ઘર-પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માન્યતા એવી પણ છે કે હવન વગર નવરાત્રીનુ વ્રત પૂર્ણ થતુ નથી.
કરો સોળ શ્રૃંગારના દર્શન
આઠમના દિવસે માં દુર્ગાને સોળ શ્રૃંગાર અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. આ સાથે પરિણીત મહિલાઓને શણગારની વસ્તુઓનુ દાન કરવાથી સૌભાગ્યમાં વધારો થાય છે.