વિધ્નહર્તા, પ્રથમ પૂજનીય ભગવાન ગણેશની જેમને આપણે ગણપતિ, ગજાનન, બાપ્પા, ગજમુખ, લંબોદર જેવા કેટલાય નામોથી ઓળખવામાં આવે છે. ભગવાન ગણેશને આપણે અલગ-અલગ નામથી બોલાવી તેમની પૂજા આરાધના કરીએ છીએ. બુધવારના દિવસે ગણપતિના વિશેષ પૂજા- અર્ચનાનું વિશેષ વિધાન છે. આ દિવસે ભગવાના ગણેશની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
આપણે સૌ ચતુર્થીના દિવસે અથવા બુધવારે ગણેશ પૂજા કરીએ છીએ પરંતુ એ સવાલ મનમાં રહે છે કે કયા મંત્રનો જાપ કરવામાં આવે જેથી ગજાનન જલ્દી પ્રસન્ન થાય. આજે આપણે અહીં એ મંત્રો વિશે વાત કરવા જઇ રહ્યા છીએ. જેમનો જાપ કરવાથી વિધ્નહર્તા શ્રી ગણેશ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. અને ભક્તોની મનોકામના પૂર્ણ થઇ જાય છે.