સાગબારા તાલુકાની જનતાની સમસ્યાને લઈ કોંગ્રેસ દ્વારા જાહેર રેલી કાઢી વિરોધ કરવામા આવ્યો હતો.
નર્મદાના સાગબારામાં કોંગ્રેસની જાહેર રેલી
જાતિના દાખલાનું વારંવાર ધક્કા ખવા છતાં કોઈ નીરાકરણ નહીં
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા ખાતે કોંગ્રેસની જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ જાહેર રેલી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા દ્વારા યોજવામાં આવી હતી. મહત્વનું છે કે તાલુકાની જનતાને થતી સમાસ્યાને મુદ્દે આ રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આદિવાસીઓને જાતિ દાખલા માટે પડતી મુશ્કેલી છે રેલીનો મુખ્ય મુદ્દો
ત્યારે સાગબારામાં યોજાયેલી જાહેર રેલીનો મુખ્યમુદ્દો આદીવાસી જાતીનો દાખલો કઢાવવામાં પડી રહેલી મુશ્કેલીનો હતો.ઉલ્લખનીય છે કે જે વિસ્તારમાં ડુપ્લીકેટ આદીવાસીઓએ બની રહ્યા છે, તે વિસ્તારના અઘિકારીઓને દબાણ કરવાની જગ્યાએ સાચા આદિવાસી વિસ્તારમાં આધિકારિઓને દબાણ કરવામાં આવે છે.લોકો ધક્કા લગાવીને કંટાળી જાય છે પણ જાતિના દાખલા વિશે જવાબ મળતો નથી.જો યુવાનોની પ્રશ્નોના હલ વહેલી તકે નહિ આવેતો આવનારા સમયમાં અમે રસ્તા રોકો અને ચક્કાજામ જેવા અનેક આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
આદીવાસી સમાજ કોંગ્રેસ સાથે: ધારાસભ્ય અનંત પટેલ
ધારાસભ્ય અનંત પટેલ કહ્યું હતું કે ગુજરાતનાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં હંમેશા કોંગ્રેસનું પ્રભુત્વ રહેલું છે, સ્વ.ઇન્દિરા ગાંધીએ આદિવાસીઓને ખેડે એની જમીન અને રહે એનું ઘર આપવાની શરૂઆત કરી હતી. પેહલેથી જ આદીવાસી સમાજ કોંગ્રેસ સાથે રહ્યો છે, ભાજપ હંમેશા આદિવાસી વિરોધી રહ્યો છે, પાર તાપી નર્મદા રિવર લિંક અને કેવડીયા આદિવાસીઓનાં પ્રશ્નો કે પછી મુંબઈ - દિલ્હી કોરિડોરની વાત હોય તો દરેક જગ્યાએ ભાજપ આદિવાસીઓની જળ, જંગલ અને જમીન હડપી લેવાની કોશિશ કરી છે.
ભાજપનું અસ્તિત્વ નામશેષ થઈ જશે: ધારાસભ્ય અનંત પટેલ
સાથે MLAએ દાવો કરતાં કહ્યું કે આદીવાસી વિસ્તારમાં ગત વખત કરતા આ વખતે કોંગ્રેસની વધુ બેઠકો આવશે. આદીવાસી વિસ્તારના કોંગ્રેસના નેતાઓએ સત્તાની લાલચમાં અને હારી જવાના ડરને લીધે પક્ષ છોડ્યો છે. જેને આદિવાસીઓની પડી છે. આદિવાસીઓનાં હક અધિકાર માટે જેને લડવું છે એવા તમામ કોંગ્રેસના આગેવાનો અમારી સાથે જ છે.ભાજપ કોંગ્રેસના આગેવાનોને લઈ પોતાની પાર્ટી ચલાવે છે એટલે હવે ભાજપ ખતમ થઇ જવાની છે, થોડા સમયમાં ભાજપનું અસ્તિત્વ નામશેષ થઈ જવાનું છે.
નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર: ધારાસભ્ય પી.ડી.વસાવા
આ બાબતે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થવી જોઈએ.ભાજપ સરકાર આદિવાસીઓનું હિત નથી જોતી માત્ર આદિવાસીઓનો ઉપયોગ કરી રહી છે.