બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત અટકવાનું નામ નથી લઇ રહી, તેણે ગાંધીજીને લઇને જે નિવેદન આપ્યું હતું તેને લઇને સુરતમાં એક્ટ્રેસ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.
કંગના રનૌતે મહાત્મા ગાંધીજીનું કર્યું અપમાન
ગાંધીજી પર વિવાદીત નિવેદન આપવાને લઇ કંગના સામે અરજી
દેશની આઝાદી અંગે વિવાદિત નિવેદનને લઇ સુરતમાં અરજી
સુરતમાં ઉઠી આ માગ
કંગનાએ ગાંધીજીને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેને લઇને સમગ્ર દેશમાં વિરોધ વંટોળ ઉઠ્યો છે અને સુરતમાં રાજદ્રોહનો કેસ લાગૂ કરવા માટેની માગ ઉઠી છે.
કંગના રનૌત એક વાર ફરી વિવાદીત નિવેદન આપ્યું છે. જેને લઈને તે ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે કંગનાએ ગાંધીજી પર ખરાબ ટિપ્પણી કરી છે. જેના કારણે તે વિવાદોમાં આવી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ લાંબા મેસેજ કરીને ગાંધીજી પર નિશાન સાંધ્યું છે. જેમા તેમણે ગાંધીજીને સત્તાના ભૂખ્યા ગણાવ્યા છે.
આપને જણાવી દઈએ કે કંગનાએ થોડાક દિવસો પહેલા આઝાદીને લઈને જે નિવેદન આપ્યું હતું હતું તેને લઈને મામલો હજું ઠંડો નથી પડ્યો ત્યા તો ફરી તેણે સોશિયલ મીડિયા પર આપત્તીજનક પોસ્ટ મુકી છે. પોસ્ટમાં કંગનાએ એવું લખ્યું છે કે જે લોકો સ્વતંત્રતા માટે લડ્યા છે. તેમણે પોતાનો તેમના માલિકોને સોંપી દીધા. જેમનું લોહી નહોતું ઉકળતું પણ તેઓ સત્તાના ભૂખ્યા અને ચાલાક હતા.
વધુમાં તેણે ગાંધીજીને ટાર્ગેટ કરતા કહ્યું કે આ એજ લોકો છે જેમણે આપણાને શિખવાડ્યું કે કોઈ તમને એક લાફો મારે તમે તેને બીજો ગાલ ધરી દો. જેથી તમને આઝાદી મળી જશે. આ રીતે કોઈને આઝાદી નથી મળતી ખાલી ભીખ મળે છે. વધુમાં કંગનાએ કહ્યું કે પોતાનો હિરો પણ સમજદારીતી પસંદ કરવાનું રાખો.