પૂર્ણા નદીના પાણી ઘૂસ્યા ઘરોમાં, અસરગસ્ત લોકોની મદદે આવી અનેક સંસ્થા, રેસ્ક્યૂ સાથે રાહતના રસોડા પણ ધમધમ્યા
કામરેજ ખાતે શરૂ કરાયુ જાહેર રસોડું
ભૂખ્યાને ભોજન આપી આંતરડી ઠારી
હનુમાન મંદિર કરશે 5000 લોકોની મદદ
નવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં પૂર આવવાથી અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા હતા. આ પરિવારોની મદદે અનેક સંસ્થાઓ આગળ આવી છે. કામરેજના હનુમાન મંદિરે અસરગ્રસ્ત પરિવારો માટે જાહેર રસોડાની શરૂઆત કરી છે. જેથી અસરગ્રસ્ત પરિવારોને ભૂખ્યા ન રહેવુ પડે. આ મંદિરમાં શાક, પૂરી, ખીચડીના લગભગ ચાર થી પાંચ હજાર પેકેટ બનાવી અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત કામરેજના પૂર્વ ધારાસભ્યએ પણ મુલાકાત લીધી હતી
પૂર અસરગ્રસ્તો માટે જમવાની સેવા
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને નદીઓ ગાંડીતુર બની હતી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા,પૂર્ણા નદીના પાણી અનેક ઘરોમાં ઘૂસી ગયા હતા જેને લઇને હજારો લોકો અસરગ્રસ્ત બન્યા હતાં ત્યારે અસરગ્રસ્ત લોકોને ભૂખ્યા ન સૂવું પડે તે માટે કામરેજ ગામની વિવિધ સંસ્થાઓ રાત દીવસ ભૂખ્યાને ભોજન પીરસી આંતરડી ઠારી રહી છે.
5000 ફૂલ ડીસ કીટનું વિતરણ
કામરેજ ગામ ખાતે આવેલ હનુમાનજી દાદાના મંદિર ખાતે રસોડું શરૂ કરવામાં આવ્યું છે અને શાક,પૂરી,ખીચડી,સહિતના ચારથી પાંચ હજાર બોક્ષ બનાવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. આ રસોડાની કામરેજના પૂર્વ ધારાસભ્યએ પણ મુલાકાત કરી હતી અને કામગીરીને બિરદાવી હતી તેમજ તમામ પ્રકારની મદદ ની ખાતરી આપી હતી.