પબજી ગેમના એડિક્શનના કારણે લોકોની માનિસકતા હિંસક બની ગઇ હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા રત્નકલાકારે પબજી ગેમની લતે ચઢીને તેના સુખી જીવનમાં આગ લગાવી દીધી છે. ગઇ કાલે મોડી રાતે રત્નકલાકાર પબજી ગેમ રમતો હતો ત્યારે તેની પત્નીએ ગેમ રમવાની ના પાડતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. રત્નકલાકારે પત્નીને ઢોર માર માર્યો હતો.
જેના કારણે લાગી આવતાં તેણે પતિ, સાસુ અને સસરા સામે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંજનાપાર્ક સોસાયટીમાં રહેતી ૩પ વર્ષીય આશાબહેન નીલેશ પ્રજાપતિએ પતિ તેમજ સાસુ-સસરા વિરુદ્ધમાં મારઝૂડની તેમજ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળની ફરિયાદ કરી છે.
ગઇ કાલે મોડી રાતે નીલેશ પબજી ગેમ રમતો હતો ત્યારે આશાબહેને તેને ગેમ નહીં રમવા મામલે ઠપકો આપ્યો હતો. ગેમમાં અવરોધરૂપ બનેલી પત્ની આશાબહેન પર નીલેશ એકદમ ઉશ્કેરાયો હતો અને અચાનક ઢોર માર માર્યો હતો. નીલેશનાં માતા-પિતા પણ આવી જતાં તેમણે આશાબહેનને મહેણાટોણા માર્યા હતા. નીલેશે માર મારતાં આશાબહેનને લાગી આવ્યું હતું, જેમાં તેમણે સાસુ-સસરા અને પતિ સામે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે આશાબહેનનાં લગ્ન વર્ષ ર૦૦૭માં રત્નકલાકાર નીલેશ દુર્લભભાઇ પ્રજાપતિ સાથે સામાિજક રીતિરવાજ પ્રમાણે થયાં હતાં. હાલ આશાબહેન પતિ નીલેશ, આઠ વર્ષના પુત્ર ધ્યેય, સાસુ શાંતાબહેન અને સસરા દુર્લભભાઇ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. છેલ્લા છ મહિનાથી સાસુ-સસરા અને પતિ ઘરકામ કરવા બાબતે મહેણાટોણા મારી શારીિરક અને માનિસક ત્રાસ ગુજારી છૂટાછેડા લઇ લેવા દબાણ કરતાં હોવાનો આક્ષેપ આશાબહેને કર્યાે છે.
આશાબહેને ત્રણ વર્ષ પહેલાં પતિ નીલેશ વિરુદ્ધમાં ભરણપોષણ તેમજ શારીિરક અને માનસિક ત્રાસ-ડોમેિસ્ટક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. નીલેશ અને આશાબહેન વચ્ચે સમાજના આગેવાન તેમજ પરિવારજનોએ બેસીને સમાધાન કરાવ્યું હતું. બન્ને વચ્ચે સમાધાન થઇ જતાં આશાબહેને ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ તેઓ સાસરીમાં રહેવા માટે જતાં રહ્યાં હતાં.
સમાધાન બાદ પણ આશાબહેન પર સાસુ-સસરા અને પતિ દ્વારા માનિસક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ થયા છે. ગઇ કાલે નીલેશ મોબાઇલમાં પબજી ગેમ રમતો હતો ત્યારે આશાબહેને તેને ગેમ રમવાની ના પાડી હતી. પબજી ગેમની લતે લાગેલો નીલેશ એક્દમ આશાબહેન પર ઉશ્કેરાઇ ગયો હતો અને બીભત્સ ગાળો બોલવા સાથે ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો.
નીલેશ આશાબહેનને માર મારતો હતો ત્યારે શાંતાબહેન અને દુર્લભભાઇ પણ આવી ગયાં હતાં અને તેમણે પોતાના પુત્રનું ઉપરાણું લઇને આશાબહેનને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને તું અમને ગમતી નથી, તારાથી છૂટાછેડા જોઇએ છે તેવા મહેણાટોણા માર્યાં હતાં. પબજી ગેમ રમવાની ના પાડતાં નીલેશે આશાબહેનને માર મારતાં તેમને લાગી આવ્યું હતું અને તેમણે સાસુ-સસરા અને પતિ સામે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
સસરા અને પતિએ આશાબહેનને સમયસર બચાવી લીધાં હતાં, પરંતુ ફાંસો ખાવાથી તેમને ગળે ઇજા પહોંચી હતી, જેથી ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ આશાબહેનની તિબયત સુધારા પર છે અને તેમણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નીલેશ, શાંતાબહેન તેમજ દુર્લભભાઇ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. નીલેશભાઇએ જણાવ્યું છે કે બે દિવસ પહેલાં પબજી ગેમ નહીં રમવા આશાએ કહ્યું હતું, જેની વાત માનીને ગેમ રમવાનું બધ કરી દીધું હતું. ગઇ કાલે ર૦૦ રૂપિયા ગુમ થવાના મામલે પણ બબાલ થઇ હતી, જેના કારણે આ બનાવ બન્યો છે.