ચીનમાં મળી આવેલા ટેરોડેક્ટાઈલસનાં ભ્રૂણના અશ્મિઓના અભ્યાસથી ખબર પડી છે કે, તેમની પાંખો ખૂબ જ નબળી હતી અને તે પૂર્ણ વિકસિત થાય ત્યારે જ ઉડી શકતા હતા. બ્રિટનની લીસેસ્ટર યુનિવર્સિટી અને લિંકન યુનિવર્સિટીના સંશોધકોએ આ પરિકલ્પનાને ફગાવી દીધી છે. તેમણે આ ડાયનાસોરના ભ્રૂણનો અભ્યાસ કર્યો ત્યારે તેમને જાણ થઈ કે જેટલા સમયમાં ટેરોડેક્ટાઈલસ ડાયનાસોરની પાંખો ઉગતી હતી.
વૈજ્ઞાનિકોએ વિલુપ્ત થયેલા ઉડનારા સરીસૃપો વિશે એક ચોંકાવનારો અભ્યાસ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ટેરોડેક્ટાઈલસ (Pterodactyl) ડાયનાસોર (Dinosaur) જન્મની સાથે જ ઉડવા લાગતા હતા. વૈજ્ઞાનિકોનાં જણાવ્યાં અનુસાર, હાલ કોઈ પણ જીવિત પ્રાણી પાસે આ ક્ષમતા નથી અને અશ્મિઓનાં આધારે કરવામાં આવેલા અભ્યાસથી જાણવા મળ્યું છે કે, પહેલા પણ કોઈ પ્રાણીમાં આ પ્રકારની અદ્ભૂત ક્ષમતા ન હતી.
જો કે, ચીનમાં મળી આવેલા ટેરોડેક્ટાઈલસના ભ્રૂણના અશ્મિઓના અભ્યાસથી ખબર પડી છે કે, તેમની પાંખો ખૂબ જ નબળી હતી અને તે પૂર્ણ વિકસિત થાય ત્યારે જ ઉડી શકતા હતા. બ્રિટનની લીસેસ્ટર યુનિવર્સિટી અને લિંકન યુનિવર્સિટીના સંશોધકોએ આ પરિકલ્પનાને ફગાવી દીધી છે. તેમણે આ ડાયનાસોરના ભ્રૂણનો અભ્યાસ કર્યો ત્યારે તેમને જાણ થઈ કે જેટલા સમયમાં ટેરોડેક્ટાઈલસ ડાયનાસોરની પાંખો ઉગતી હતી એટલા ઓછા સમયમાં તો અન્ય જીવોના ભ્રૂણ જ વિકસિત થઈ શકતા નથી.
અન્ય સરીસૃપોમાં ઈંડામાંથી બહાર નીકળ્યા બાદ પાંખોનો વિકાસ થાય છે, પરંતુ ટેરોડેત્ટાઈલસ ઈંડામાંથી બહાર આવ્યાના તુરંત બાદ ઉડવા લાગતા હતા. આ દાવાને આર્જેન્ટિના અને ચીનમાંથી મળી આવેલા અન્ય જીવોના અશ્મિઓએ પણ સાબિત કરી દીધો છે. બ્રિટનની લીસેસ્ટર યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિક ડેવિડ અનવિને જણાવ્યું કે, ટેરોડેક્ટાઈલસ ડાયનાસોરના માતા-પિતા તેની સંભાળ લેતા ન હોતા.
તેઓ જન્મ પછી તુરંત બાદ જાતે જ ખાવાનું શોધવા જતા હતા. આથી કુદરતે પણ તેમને એટલા સક્ષમ બનાવ્યા હતા કે, તેઓ જન્મ પછી તુરંત ઉડી શકતા હતા. જોકે, જન્મના તુરંત બાદ ઉડવું તેમના માટે એટલું આસાન નહોતું અને આ પ્રક્રિયામાં અનેક ટેરોડેક્યાઈલસનાં જીવ પણ ગયા હતા. જન્મની સાથે જ ઉડવામાં અને વિકાસ સાધવામાં સક્ષમ હોવાના કારણે આ ડાયનાસોરની પાંખો ખુબ મોટી હતી અને સાથે જ તેઓ હાલનાં તમામ પક્ષીઓની સરખામણીએ અનેક ગણા વિશાળ પણ હતા. ડાયનાસોરનાં જીવનની આ પ્રક્રિયા લાંબા સમય સુધી કઈ રીતે ચાલતી હતી તેના પર હાલ વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે.