વડોદરામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં PSI એસ.એસ.જાડેજાએ આપઘાત કર્યો છે. પોલીસ સબ ઈન્સપેક્ટરના આપઘાત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
મળતી માહિતી અનુસાર સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા અલ્કાપુરી પોલીસ ચોકીમાં જ PSIએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવીને PSIએ આપઘાત કર્યો હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સ્યૂસાઈડ નોટમાં નોકરીથી કંટાળી જવાનો ઉલ્લેખ કરાયો છે.