બોટાદના સ્થાનિક PSIએ મારામારી કરવા બદલ કોન્સ્ટેબલ યુવરાજસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. પાળીયાદ રોડ પર આવેલી મોગલ રેસ્ટોરન્ટ પાસે ભારે દેકારા સાથે મારામારી કરી હતી
હોટેલ પાસે બબાલ કરી કોન્સ્ટે.અને સાગરીતો નાસી છૂટ્યા હતા
માથા ફરેલો કોન્સ્ટેબલ વારંવાર રજા પર;નોટીસ છતાં જવાબ નહિ
પોલીસ વિભાગમાં સામાન્ય રીતે કોન્સ્ટેબલ પોતાના પોલીસ ઇન્સ્પેક્ટર,કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ નોંધાવતા હોય છે. તે પણ નોકરી દરમિયાન કરાતી હેરાનગતિ કે એવા કોઈ સંદર્ભની. પણ અહીં ઘટના જુદી છે. બોટાદમાં એક PSI એ પોતાના કોન્સ્ટેબલ સામે મારામારીનાં કેસની ફરિયાદ ખુદ પોતે નોંધાવી છે.
ગાડીમાં શસ્ત્રો ;ગામમાં કોન્સ્ટેબલ હોવાનો રોફ
ઘટનાની વિગત પ્રમાણે સ્થાનિક PSIએ મારામારી કરવા બદલ કોન્સ્ટેબલ યુવરાજસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. કોન્સ્ટેબલ અને અન્ય બે શખ્સોએ રેસ્ટોરન્ટ બહાર બબાલ કરી હતી. પાળીયાદ રોડ પર આવેલી મોગલ રેસ્ટોરન્ટ પાસે ભારે દેકારા સાથે મારામારી કરી હતી. જેને લઇને કોન્સ્ટેબલ યુવરાજસિંહ પરમાર, જયદીપ કાળીયા, વિશુ ખાચર સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે કાર, લોખંડનો પાઇપ અને છરી કબજે કર્યા હતા. કોન્સ્ટેબલ અને તેના સાગરીતો આ ઘટના પછી પૂરપાટ વેગે વાહન ચલાવી ફરાર થઇ ગયા હતા
માથાકૂટ કરીને નાસી છૂટ્યા
કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને બીજા શખ્સે પણ તેની મદદ કરી હતી અને લોકોની જિંદગી જોખમાય તે રીતે પૂરઝડપે બેફિકરાઈથી કાર હંકારીને ફરાર થઈ ગયા હતા.આરોપીઓની ગાડીમાં છરી અને લોખંડની પાઈપ જેવા હથિયારો હતા પોલીસે બોટાદના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો દાખલ કર્યો હતો
વિભાગના નિયમોને ગાંઠતો નથી
આ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે, કોન્સ્ટેબલ રાણજીતસિંહ પોતાની મરજી પડે ત્યારે રજા પર ઉતરી જાય છે, તેમને આ અંગે 4 વખત નોટિસ પણ પાઠવવામાં આવી છે. જોકે, આમ છતાં તેઓ તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.