રમેશચંદ્ર ફેફરને લઈને મનોચિકિત્સકો સાથે વીટીવીની ટીમ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી. જેમા મનોચિકિત્સકોએ કહ્યું કે તેમને સારવારની ખૂબ જરૂર છે.
રમેશચંદ્ર ફેફર ખરેખરમાં મનોરોગી
અંધશ્રદ્ધામાં ન આવવા મનોચિકિત્સકોએ કહ્યું
રમેશચંદ્ર ફેફરને સારવારની જરૂર
રાજકોટના રમેશચંદ્ર ફેફર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યા છે. કારણકે તેઓ પોતાની જાતને ભગવાન વિષ્ણુંના કલ્કી અવતાર તરીકે લોકોને ઓળખ આપી રહ્યા છે. આ મામલે વીટીવીની ટીમ દ્વારા મનોચિકિત્સકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. જેમા મનોચિકિત્સકોએ તેમને માનસીક રોગી ગણાવ્યા છે.
દુષ્કાળ પાડવાની ધમકી
તેઓ જ્યારે સિચાઈ વિભાગમાં નોકરી કરતા હતા ત્યારે તેમણે સૌથી પહેલી વાર તેમણે સરકારને પત્ર લખીને વરસાદ રોકી રાખવાની ધમકી આપી હતી. જેમા તેમણે એવું કહ્યું હતું કે પગાર નહી આપો દુષ્કાળ લાવી દેશે. થોડા સમય પહેલા તેમણે સરકારને પત્ર લખ્યો હતો કે તેમનો 16 લાખ રૂપિયા પગાર અને ગ્રેજ્યુટી ચુકવવામાં આવે નહીતો તેઓ દુષ્કાળ પાડશે.
સારવારની જરૂર
આ મામલે સીનીયર સાઈકોલોજીસ્ટ પ્રશાંત ભિમાણીએ કહ્યું, કે તેઓ એક મનોરોગી છે. જેને મેડીકલ ભાષામાં પેરાનોઈડ ડીસઓર્ડર કહેવામાં આવે છે. આ રોગમાં રોગીને મનોભ્રમ રહે છે કે તેજ કઈક છે. દર્દીના મગજમાં ખોટા વિચાર ભ્રમ વિશદવંશ તરીકે મનમાં રહેતા હોય છે. તેમણે એવું પણ કહ્યું કે ખરેખરમાં આ વ્યક્તિ દયાને પાત્ર છે તેને સારવારની જરૂર છે..
બાળપણમાં આઘાત જનક બનાવને કારણે આ રોગ થયા
મનો રસાયણ અને ચેતા રસાયણોમાં ફેરફાર થવાને કારણે આ રોગ થાય છે. વધુંમાં મનો ચિકિત્સકે એવું પણ કહ્યું કે બાળપણમાં કોઈ આઘાત જનક બનાવને કારણે આવા રોગ થતા હોય છે. અન્ય એક મનોચિકિત્સક મહેશ ચુડગર જણાવે છે કે આવા રોગ ના દર્દીઓ પોતાની પાસે ઘણીબધી શક્તિ હોવાનું માનતા હોય છે, જેના કારણે તેઓ ડોકટર પાસે પણ નથી આવતા. તેમને બળજબરી પૂર્વક પણ લાવવા પડે છે, જોકે સારવાર બાદ તેઓ નોર્મલ પણ થઈ શકે છે..
અંધશ્રદ્ધામાં ન આવવા લોકોને અપીલ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સમાજના લોકોને મનોચિકિત્સક અપીલ કરે છે કે અંધશ્રધ્ધામાં આવવાની જરૂર નથી.. સમાજે આવા લોકોની ચુંગલમાં ફસાવું નહી, આ પ્રકારના લોકોને મનોચિકિત્સક પાસે લઇ જવો, કલ્કી અવતારના નામે માત્ર રમેશચંદ્ર ફેફર જ નહીં પણ ગામડાના તાંત્રિકો, નારાયણ સાંઈ અને રાધે માં પણ આ રોગના શિકાર હોવાનું મનોચિકિત્સકો માને છે..