શુક્રવારે સરકારે 10 સરકારી બેન્કોના મર્જરનું એલાન કર્યું. સરકારનું કહેવું છે કે નેક્સ્ટ જનરેશનના હિસાબે બેન્કોને હાઇટેક કરવા માટે આ પગલુ ઉઠાવાયું છે. પરંતુ મર્જરના કામમાં લાગેલા કર્મચારીઓનું માનીએ તો આ કામમાં ઘણા પડકાર છે. સૌથી મોટો પડકાર ટેક્નિકલ એકીકરણ અને એચઆરને લઇને છે.
મુશ્કેલ છે ટેકનિકલ મર્જર
આ મહામર્જરમાં સૌથી સરળ બેલેન્સશીટને કંબાઇન કરવાનું છે. ત્યારબાદ જમા ધનને એકઠું કરવું અને એટીએમ નેટવર્કનો વિલય કરવો પણ અપેક્ષાકૃત સરળ છે. જાણકારોનું કહેવું છે કે બે આઇટી પ્લેટફોર્મ પર કામ કરનાર નેટવર્કનું મર્જર કરી એક કરવું ઘણું મુશ્કેલ કામ છે. તેના કરતા સરળ તો નવા નેટવર્કનું સેટઅપ કરવું છે.
કર્મચારી અને ગ્રાહકોની સમસ્યાઓ
એસોસિએટ બેન્કોના મર્જર સમયે અરુંધતિ ભટ્ટાચાર્ચ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની ચેરમેન હતી. એમના મુજબ મર્જર થનારી બેન્ક એસબીઆઇ સાથે જોડાયેલી હતી પરંતુ સૌની પોતાનું કલ્ચર હતું. તેમા 242 પ્રકારની ટેકનિકનો ઉપયોગ થતો હતો. આ તમામનો મર્જર થવાનો હતો. ભટ્ટાચાર્ય જણાવ્યું કે, અમે કર્મીઓની સમસ્યાઓનું સમાધન કરવા માટે એક પોર્ટલ બનાવ્યું હતું. અને એક દિવસમાં લગભગ 200 સવાલો પૂછતા હતા.
એમણે આગળ કહ્યું કે બેન્કોના મર્જરનો ફાયદો જોવામાં બે વર્ષનો સમય લાગી શકે છે. આ પહેલા બેન્ક ઓફ બરોડાના મેનેજિંગ ડાયરેક્ટર પીએસ જય કુમાર કહી ચૂક્યા છે કે, બેન્કોના ટેક્નીકલ એકીકરણમાં 12થી 18 મહીના લાગી જશે. તમામ બેન્ક ફિનાકલ (ઇન્ફોસિસની કોર બેન્કિંગ પ્રોડક્ટ)નો ઉપયોગ કરે છે. પરંતુ તમામનું વર્જન અલગ અલગ છે. હાલમાં થયેલા 10 બેન્કોના મર્જરમાં મોટો પડકાર બેન્કની શાખાઓમાંથી કઇ ચાલૂ રાખવી અને કોને હટાવી અથવા બંધ કરવાનો છે.
અલગ-અલગ કાર્ય સંસ્કૃતિ
વર્ષ 2000માં બેન્ક ઓફ મદુરાઇ અને ICICIના મર્જરના સમયે બેન્કમાં કાર્યરત એક અધિકારીનું કહેવું છે કે સાંસ્કૃત્તિક એકીકરણ એક મોટો પડકાર હતો. એમનું કહેવું છે કે મર્જરના સમયે ઘણી બધી રણનીતિ બનાવવામાં આવે છે પરંતુ સંસ્કૃતિ એવી વસ્તુ છે જે રણનીતિઓને ખતમ કરી નાંખે છે.