સરકાર દ્વારા જ્યારે બજેટની રજૂઆત કરવામાં આવે છે ત્યારે અલગ-અલગ વિભાગોમાં ખર્ચે પેટે નાણાની ફાળવણી કરોડોમાં કરવામાં આવે છે. જો કે ત્યારબાદ આ રકમનો સરકાર દ્વારા જોગવાઇનો યોગ્ય ખર્ચ કરવામાં આવ્યોં નથી તેવી ચોંકાવનારી વિગત સામે આવી છે. સરકારના 9 હજાર કરોડ વાપર્યા વગર જ પડ્યા રહ્યાં છે.
રાજ્ય સરકારના 9 હજાર કરોડ વાપર્યા વગર જ પડ્યા રહ્યા
વર્ષ 2018-19માં 13 વિભાગોમાં ફાળવાયા હતા નાણા
પ્રજાલક્ષી યોજનાઓ માટેના રૂપિયા ખર્ચાયા નહી
રાજ્ય સરકાર બજેટમાં જોગવાઈ કરેલા રૂપિયા સરકાર ખર્ચ જ ન કરી શકી. સરકારના 9 હજાર કરોડ વાપર્યા વગર જ પડ્યા રહ્યાં છે. સરકારે બજેટમાં જોગવાઈ કરેલા 9 હજાર 136 કરોડ ખર્ચ્યા જ નથી. વર્ષ 2018-19માં 13 વિભાગોમાં નાણા ફાળવાયા હતા.
પ્રજાલક્ષી યોજનાઓ માટેના રૂપિયા ખર્ચાયા જ નથી. મળતી માહિતી મુજબ નાણા વિભાગના 6757 કરોડ વપરાયા જ નથી. ઉપરાંત અન્ન-પુરવઠા વિભાગમાં 119 કરોડની રકમ વપરાઈ નથી. જ્યારે શ્રમ રોજગારમાં 273 કરોડ જ્યારે વાહનવ્યવહાર વિભાગમાં 3.81 કરોડ નથી વપરાયા.
જ્યારે આદિજાતિ વિકાસમાં 225 કરોડ રૂપિયાનો ઉપયોગ નથી કરાયો. આ ઉપરાંત મહિલા બાળ વિકાસ વિભાગમાં 456 કરોડ, જ્યારે માર્ગ મકાન વિભાગમાં 220 કરોડ અને વિજ્ઞાન વિભાગમાં 88 કરોડ વાપર્યા વગર પડ્યા રહ્યા છે.
આમ સરકાર બજેટમાં મોટી મોટી જાહેરાતો તો કરી દે છે પરંતુ જાહેરાતો બાદ અને નાણાની જોગવાઇ બાદ તેના પર પૂરતો ખર્ચ નથી કરાતો અને અમલ નથી કરવામાં આવતો. આદિવાસી-વંચિત સમાજ કલ્યાણ માટે અને મહિલા-બાળકો, મજૂરોની સુરક્ષાની યોજના માટે પૂરતો ખર્ચ નથી કરવામાં આવ્યો.