થોડાક દિવસો બાદ 1 એપ્રિલથી નવા ફાઇનાન્શિયલ યરની શરૂઆત થવાની છે. આ ફાયનાન્શિયલ યરના પહેલા દિવસથી એવા ઘણા નિયમ લાગૂ થવાના છે જેની સીધી અસર તમારી લાઇફ પર પડવાની છે. આ નિયમો દ્વારા તમને સસ્તા ઘરથી લઇને સસ્તી વીજળી બિલ સુધીનો લાભ મળી શકે છે.
સસ્તા ઘરનું સપનું પૂરું
જો તમે સસ્તું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો 1 એપ્રિલથી તમને તક મળવાની છે. વાસ્તવમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીના નવા દર 1 એપ્રિલથી લાગૂ થવાના છે. આ હેઠળ નિર્માણાધીન મકાનો પર 12% થી ઘટાડીને 5 ટકા અને સસ્તા દરોના ઘરે 8 થી ઘટાડીને 1 ટકા જીએસટી કરી દેવામાં આવ્યો છે. આ નિયમના લાગૂ થવાનો ફાયદો એ હશેકે નિર્માણાધીન અને સસ્કા ઘરોની કિંમત પહેલાની સરખામણીએ સસ્તી થઇ જશે.
મોબાઇલની જેમ વીજળી બીલ રિચાર્જ
1 એપ્રિલથી તમે મોબાઇલની જેમ વીજળીનું પણ રિચાર્જ કરી શકશો. એનો અર્થ એ છે કે હવે ગ્રાહક 30 દિવસો માટે ફરજીયાત ચુકવણીની જગ્યાએ માત્ર એટલી ચુકવણી કરશે જેટલો વીજળીનો ઉપયોગ કરશો. વાસ્તવમાં, વીજળીના વધતા બીલની ફરિયાદોનો હલ નિકાળવા માટે સરકારે આ પહેલ કરી છે.
બદલાઇ જશે લોન પર વ્યાજની વ્યવસ્થા
1 એપ્રિલથી હોમ અને ઑટો લોન પર લાગતા વ્યાજની વ્યવસ્થા બદલાઇ જશે. આ સંબંધમાં થોડાક દિવસો અગાઉ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો છે. બેંક હાલ ખુદ નક્કી કરે છે વ્યાજદર ક્યારે વધારવો ઘટાડવો છે. પરંતુ, એપ્રિલથી બેંકને આરબીઆઇનો રેપો રેટ ઘટાડ્યાના તરત બાદ વ્યાજ દર ઘટાડવા પડશે.
રેલ યાત્રીઓ માટે સુવિધા
1 એપ્રિલથી રેલ યાત્રીઓને એક નવી સુવિધા મળવાની છે. વાસ્તવમાં ભારતીય રેલવે હવે સંયુક્ત પેસેન્જર નેમ રેકૉર્ડ જારી કરશે. એનો અર્થ સ્પષ્ટ છે કે રેલ યાત્રી એક યાત્રાદરમિયાન એક બાદ એક બીજી ટ્રેનમાં સફર કરશે તો એને સંયુક્ત PNR મળશે.
હાલ એક યાત્રા માટે 2 ટ્રેન બુક કરો છો તો યાત્રીઓના નામ પર 2 અલગ અલગ પીએનઆર નંબર જનરેટ થાય છે. નવા નિયમ બાદ હવે પહેલાની સરખામણીમાં રિફન્ડ મળવું સરળ થઇ જશે.
ઑટોમેટિક પીએફ ટ્રાન્સફર
1 એપ્રિલથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મોટો ફેરફાર લાગૂ કરી શકે છે. નવા નિયમ હેઠળ હવે નોકરી બદલવા પર તમારો પીએફ પોતાની રીતે ટ્રાન્સફ થઇ જશે. કહેવાનો અર્થ એ છે કે નોકરીયાત લોકોને આવતા નાણાંકીય વર્ષથી નોકરી બદલવા પર PF અમાઉન્ટ ટ્રાન્સફર કરવાનો અનુરોધ કરવાની જરૂર પડશે નહીં.