રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે હવે કોરોનાની વેક્સિનેશનનું તમામ કાર્ય કેન્દ્ર સરકાર સંભાળશે. રાજ્ય સરકારોએ કોઈ ખર્ચ નહીં કરવો પડે.
કોરોના સંકટની વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા 100 વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી
કોરોનાએ આપણા ઘણા બધા લોકોને છીનવી લીધા છે.
PM મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે હવેથી વૅક્સિનેશનનું કાર્ય હવે કેન્દ્ર સંભાળશે. જેનો અર્થ કે હવેથી રાજ્ય સરકારોએ જાતે વૅક્સિન ખરીદવાની જરૂર નહીં રહે અને કેન્દ્ર જ નક્કી કરશે કે રાજ્યોને જરૂરિયાત પ્રમાણે વૅક્સિન અપાશે. કેન્દ્ર વૅક્સિનના કુલ ઉત્પાદનના 75 ટકાનો ભાગ ખરીદી લેશે. જ્યારે રાજ્યોમાં પ્રાઈવેટ હોસ્પિટલ પોતે ડાયરેક્ટ વૅક્સિન કંપની પાસેથી સીધી રીતે અગાઉની જેમ જ ખરીદી શકશે.
21 જૂન પછી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને ફ્રી વેક્સિન
PM મોદીએ જણાવ્યું કે 21 જૂન પછી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કેન્દ્ર સરકાર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલ વેક્સિનની નિર્ધારિત કિંમત ઉપરાંત વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે.
80 કરોડ ગરીબોને નવેમ્બર સુધી મફત રાશન આપવામાં આવશે
વેક્સિનની એક એક ડોઝ ખુબ મહત્વપૂર્ણ છે એટલે કેન્દ્ર સરકાર દરેક રાજ્યને થોડા અઠવાડિયા પહેલા જ જાણ કરવામાં આવશે કે તેને ક્યારે કેટલી ડોઝ મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દિવાળી સુધી આગળ વધારવામાં આવશે, 80 કરોડ ગરીબોને નવેમ્બર સુધી મફત રાશન આપવામાં આવશે. આપણે સાવધાન પણ રહેવાનું છે અને કોરોનાથી બચાવના નિયમોનું પણ કડકાઈથી પાલન કરવાનું છે.
કોરોના મહામારી 100 વર્ષની સૌથી મોટી મહામારી
દેશવાસીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે કોરોનાએ આપણા ઘણા બધા લોકોને છીનવી લીધા છે. આવી મહામારી વીતેલા 100 વર્ષોમાં ક્યારેય પણ જોવા મળી નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 100 વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. આટલી મોટી મહામારી વિશ્વે ક્યારેય જોઈ નથી કે અનુભવી પણ નથી. આટલી મોટી વૈશ્વિક મહામારીએ આપણા દેશે ઘણા મોરચે લડી છે.
એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ અકલ્પનીય રીતે વધી
પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ અકલ્પનીય રીતે વધી ગઈ હતી. ભારતના ઈતિહાસમાં ક્યારેય પણ આટલી મોટી માત્રામાં મેડિકલ ઓક્સિજનની જરુરત મહેસૂસ કરાઈ નથી. આ જરુરતને પુરી કરવા માટે યુદ્ધ સ્તરે કામ કરવામાં આવ્યું. આજે સમગ્ર વિશ્વમાં વેક્સિનની જેમ માંગ છે તેની તુલનામાં ઉત્પાદન કરનાર દેશ અને વેક્સિન બનાવનાર કંપનીઓ ઘણી ઓછી છે. કલ્પના કરો કે આજે આપણી પાસે ભારતમાં બનેલી વેક્સિન ન હોત તો ભારત જેવા મોટા દેશનું શું થયું હતું.
PM મોદીએ કહ્યું કે કોરોના સામેની લડાઈમાં સૌથી મોટું હથિયાર માસ્ક અને સોશિયલ ડીસ્ટંસ છે, વેક્સિન આપણા માટે સુરક્ષા કવચ છે. અગાઉ પોલિયો જેવા રોગની વેક્સિન માટે ભારતે વર્ષો સુધી રાહ જોવી પડી હતી, અમારી સરકારે તાત્કાલિક વ્યવસ્થા કરી છે. પહેલાં વૅક્સિન મેળવવા માટે ભારતને દાયકાઓ લાગી જતા હતા, જ્યારે 2014માં પ્રજાએ અમને સેવાનો મોકો આપ્યો ત્યાર બાદ વૅક્સિનેશનનું કવરેજ દેશમાં 60 ટકા હતું તે ચિંતાનો વિષય હતો. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત દેશભરમાં મોટા પાયે વેક્સિનેશનનું કાર્ય કરવામાં આવ્યું છે. અમારી સરકાર આવ્યા બાદ માત્ર 5-6 વર્ષમાં જ વૅક્સિનેશન કવરેજ 60 ટકાથી વધીને 90 ટકા જેટલી થયું છે.
કોરોનાની બીજી લહેર પહેલા આપણા ફ્રંટ લાઇન વર્કરને વેક્સિન લાગી ન હોત તો શું થાત-પ્રધાનમંત્રી
વેક્સિન બનાવનાર કંપનીઓને સરકારે તમામ પ્રકારની મદદ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બાળકો માટે 2 વેક્સિનનું ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યું છે, નેઝલ વેક્સિન માટેનું પણ રીસર્ચ ચાલી રહ્યું છે. કોરોનાની બીજી લહેર પહેલા આપણા ફ્રંટ લાઇન વર્કરને વેક્સિન લાગી ન હોત તો શું થાત.
બાળકો માટે 2 વેક્સિનનું ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યું છે
બાળકો માટે 2 વેક્સિનનું ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યું છે, નેઝલ વેક્સિન માટેનું પણ રીસર્ચ ચાલી રહ્યું છે. જો આ વૅક્સિનમાં સફળતા મળી તો રસીકરણમાં જોરદાર ઝડપ આવશે તેમ પણ PM મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધન દરમ્યાન કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતે આટલા ઝડપી સમયમાં વૅક્સિનેશન થયું તે એક મોટી ઉપલબ્ધિ છે. ભારતે દરેક માપદંડોને ધ્યાનમાં રાખી વૅક્સિનેશનને તબક્કાવાર કરીને કોરોનાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો.