કોરોના સંકટના સમયમાં પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ચરમ સીમાએ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પડકાર ફેંકતા કહ્યું કે રાજ્યમાં આ વર્ષે દુર્ગા પૂજા નહીં કરાવાને લઇને જે અફવા ફેલાવામાં આવી રહી છે, તેને સાબિત કરો. જો આવું થાય છે તો તેઓ જનતાની વચ્ચે જઇ કાન પકડીને 100 વખત ઉઠક-બેઠક કરશે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે આરોપ લગાવ્યો કે એક રાજકીય પક્ષ આ અફવા ફેલાવી રહ્યો છે કે આ વર્ષે રાજ્યમાં દુર્ગા પૂજાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલયમાં 'પોલીસ દિવસ'ના ઉજવણીને લઇને આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, 'સવારથી દુર્ગા પુજા માટે અફવા સાંભળી રહ્યું છે કે રાજ્ય સરકારે દ્વારા મંજૂરી આપવામાં આવી રહી નથી. તેને સાબિત કરો! અથવા કાન પકડી ઉઠક-બેઠક કરો.
મમતા બેનર્જીએ કહ્યું, જો તમે આ દાવાને સાબિત કરી શકો છે કે સરકાર તરફથી વાસ્તવમાં આવું કોઇ પગલુ ઉઠાવવામાં આવ્યું છે તો હું પોતાના કાન પકડી અને જનતાની સામે 100 ઉઠક-બેઠક કરીશે. હું લોકો પ્રતિ જવાબદેહ છું.
પોલીસ પણ લોકોને કરી રહ્યાં અલર્ટ
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે એક રાજકીય પક્ષ દુર્ગા પૂજા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યું છે. અમે હજુ સુધી આ અંગે કોઇ બેઠક કરી નથી. આપણે અત્યારે એક મહામારીના સંકટમાંથી પસાર થઇ રહ્યાં છીએ. મમતા બેનર્જીએ સ્પષ્ટતા કરી કે સરકાર આ વર્ષે દુર્ગા પુજાને લઇને ચર્ચા કરવા માટે પૂજા આયોજકો સાથે બેઠક કરશે.