કિશાન મોરચાએ 22 જુલાઈએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી દીધી છે. 19 જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.
કિસાન મોરચાની મોટી જાહેરાત
8 જુલાઈએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સામે દેશભરમાં દેખાવ
22 જુલાઈએ કૃષિ કાયદાની સામે સંસદની બહાર દેખાવ
સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી કે ત્રણ કૃષિ કાયદાની વિરૃદ્ધમાં સંસદની બહાર લગભગ 200 ખેડૂતોનો એક સમૂહ પ્રદર્શન કરશે. મોરચાએ વિપક્ષી સાંસદોને પણ ચેતવણી આપી છે કે સંસદમાં તેમનો અવાજ ઉઠાવવામાં આવે નહીંતર રાજીનામું ધરી આપે. મોરચાએ 8 જુલાઈએ પેટ્રોલ-ડીઝલ તથા રાંધણગેસના ભાવવધારાની સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનની પણ જાહેરાત કરી છે.
સરકાર મુદ્દાનો ઉકેલ ન લાવે ત્યાં સુધી સત્ર ચાલવા નહીં દેવાય-મોરચાની ધમકી
ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે જણાવ્ુયં કે અમે વિપક્ષી સાંસદોને સંસદની અંદર આ મુદ્દો ઉઠાવવાની અપીલ કરીએ છીએ જ્યારે બહાર અમે વિરોધ કરીશું. જ્યાં સુધી સરકાર આ મુદ્દાનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી સત્ર ચાલવા નહીં દેવામાં આવે.
19 જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ
ઉલ્લેખનીય છે કે 19 જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજેવાલે કહ્યું કે જ્યાં સુધી સરકાર અમારી માગ પુરી નહીં કરે ત્યાં સુધી અમે સંસદની બહાર સતત પ્રદર્શન કરતા રહીશું. દરેક ખેડૂત સંગઠના 5 લોકોને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે લઈ જવામાં આવશે.
8 જુલાઈએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સામે દેશભરમાં દેખાવ
તેમણે કહ્યું કે 8 જુલાઈએ પેટ્રોલ-ડીઝલ તથા રાંધણગેસના ભાવવધારાની સામે દેશભરમાં દેખાવ કરવામાં આવશે. મોરચાએ તૈયારી પણ કરી લીધી છે.
મોરચાએ તેના સભ્યોને તેમની પાસે જે પણ વાહન હોય, ટ્રેક્ટર, ટ્રોલી, કાર, સ્કૂટર બસ વગેરે, લઈને નજીકના રાજ્ય તથા હાઈવે પર પહોંચી જવાનું તથા ત્યાં પાર્ક કરવાનું જણાવ્યું છે. સભ્યો એલપીજીનો બાટલો પણ લઈને આવવાનું જણાવી દેવાયું છે.