દિલ્હી AIIMS દ્વારા સાંસદોની સારવારને લઈને જાહેર કરાયેલ SOP નો વિરોધ થતા AIIMS દ્વારા તાત્કાલીક ધોરણે જાહેર કરાયેલ SOP પાછી ખેંચી લીધી હતી.
દિલ્હી AIIMS દ્વારા ભારે ટીકા બાદ નિર્ણય પરત લીધો
સાંસદો માટે જારી કરાયેલ SOP પાછીં ખેંચી
AIIMS ના ર્ડાક્ટરોના એક વર્ગ દ્વારા ગણાવ્યું VIP કલ્ચર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્થિત ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એ સાંસદો માટે સારવારની સુવિધાઓને સુવ્યવસ્થિત કરવા માટે જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પાછી ખેંચી લીધી છે. આ SOP હેઠળ તેમની તબીબી સંભાળની વ્યવસ્થાઓનું સંકલન કરવા માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. AIIMS ના ર્ડાક્ટરોના એક વર્ગ દ્વારા તેને VIP કલ્ચર ગણાવીની તેની ટીકા કરવામાં આવી હતી.
અગાઉ ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સના ડીરેક્ટર એમ. શ્રીનિવાસ, લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ વાય.એમ. કંદપાલને લખેલા તાજેતરના પત્રમાં બહારના દર્દીઓ વિભાગ કટોકટી પરામર્શ અને લોકસભા અને રાજ્યસભા બંનેના વર્તમાન સાંસદોને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જારી કરાયેલ SOP વિશે માહિતી આપવામાં આવી હતી.
AIIMS કંટ્રોલ રુમમાં ચોવીસ કલાક હાજર રહેશે:ર્ડા. શ્રીનિવાસ
ર્ડા. શ્રીનિવાસે જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે હોસ્પિટલ વહીવટી વિભાગના અધિકારીઓ AIIMS કંટ્રોલ રુમમાં ચોવીસ કલાક હાજર રહેશે. AIIMS ના ડાયરેક્ટરે પત્રમાં કેટલાક નંબર પણ આપ્યા છે. જેના પર સાંસદોના કર્મચારીઓ ફોન કરીને ફરજ પરના અધિકારી સાથે વાત કરી શકે છે.