કિશન હત્યા કેસ મામલે રોજબરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે, સંડોવણી સામે આવી રહી છે ત્યારે લોકોની બસ એક જ માગ છે કે આરોપીઓને ફાંસી આપવામાં આવે
ધંધુકા હત્યા કેસ મામલે સમગ્ર ગુજરાતમાં ધાર્મિક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે...રાજ્યભરમાં ઠેર-ઠેર રેલી કાઢીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે..ત્યારે મોરબી,સુરેન્દ્રનગર,અમરેલી,છોટાઉદેપુર જિલ્લામાં પણ આ રીતે એકઠા થઇને કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.. સમગ્ર કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવા માટે માગ કરી હતી.આ સાથે જિલ્લાઓમાં અનેક જગ્યાએ વેપારીઓએ બંધ રાખીને સમર્થન આપ્યું હતું...ઉલ્લેખનીય છે કે સ્થિતિની સંવેદનશીલતાને જોતા રાજ્યનું ગૃહ વિભાગ પણ સક્રિય થઇ ગયુ છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે...
જામનગર અને મહેસાણામાં વિરોધ
આ તરફ જામનગર અને મહેસાણામાં પણ વિવિધ ધાર્મિક સંગઠનોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.જામનગરના જોડિયામાં ધર્મ રક્ષક સમિતિની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે વડનગરમાં પણ વીએચપી દ્વારા રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો. બંન્ને જિલ્લામાં સંગઠનોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજા કરવા માટે માગ કરી હતી...
ભાવનગરમાં ઠેર ઠેર વિરોધ
આ તરફ અંકલેશ્વર ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. કિશન ભરવાડના આરોપીઓને કડક સજા મળે તેવી માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સોંપાયુ હતુ... જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યુ. ભાવનગર જિલ્લાના મહુવા, ગારીયાધારણ તથા પાલિતાણાની બાજરો સજ્જડ બંધ જોવા મળી હતી.. મહુવામાં તો માર્કટીંગ યાર્ડ,ડી હાઈ ડ્રેશન પ્લાન્ટ સહિત મુખ્ય બજાર પણ બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે પાલિતાણામાં પણ રેલી યોજી આવેદન પત્ર આપીને ન્યાયની રજૂઆત કરવામાં આવી હતી.
સિદ્ધપુર અના પાંથાવાડામાં વિરોધ
ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે ઠેર ઠેર આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે પ્રદર્શનો તથા બંધના એલાન કરવામાં આવી રહ્યા છે... જેમાં આજરોજ સિદ્ધપુરમાં ઘાર્મિક સંગઠનો દ્વારા હત્યાના વિરોધમાં બાઈક રેલીનુ આયોજન કરાયુ હતુ... આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. શહેરના ગોગા મહારાજના મંદિરથી SDM કચેરી સુધી રેલી નીકળી હતી.. તો બીજી તરફ બનાસકાંઠાના પાંથાવાડામાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતું, બંધ તો પાળવામાં આવ્યો હતો પરંતુ હત્યાના વિરોધમાં લોકોએ એકઠા થઇને આરોપીને ફાંસી આપવા માગ કરી હતી.