પાકિસ્તાનના કરાચીમાં હિંદુઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડા દિવસ પહેલા રહિમ રાય ખાન વિસ્તારમાં આવેલ મંદિરમાં તોડફોડ થઈ હતી જે મામલે હિદુંઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું
પાકિસ્તાનમાં હિદુંઓનું વિરોધ પ્રદર્શન
હિંદુઓએ લગાવ્યા જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા
કરાચીના પ્રેસ ક્લબની બહાર વિરોધ પ્રદર્શન
પાકિસ્તાનમાં આવેલ રહીમ યાર ખાન વિસ્તારમાં થોાડક દિવસો પહેલા મંદિરમાં તોડફોડ થઈ હતી. ત્યારબાદથી અહીયા હિન્દૂ સમાજમાં રોષનો માહોલ ફેલાયો છે. જેને અનુલક્ષીને કરાચીમાં રહેતા હિન્દુઓએ ગત રોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓએ જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.
હિદું સિવાય પારસી અને શીખ સમુદાયે પણ કર્યો વિરોધ
ગઈકાલે રવિવારે કરાચીના પ્રેસ ક્લબની બહાર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં હિન્દુ સમુદાય સિવાય પારસી, શિખ અને ખ્રિસ્તી સમુદાયના લોકો પણ શામેલ હતા. જેમણે મંદિરમાં તોડફોડના બનાવની નિંદા કરી હતી.
વી વોન્ટ જસ્ટિસના પોસ્ટરો સાથે વિરોધ
આ વિરોધ પ્રદર્શનમાં હરહર મહાદેવ તેમજ જયશ્રી રામના નારા લગાવામાં આવ્યા હતા. સાથેજ પ્રદર્શનકારીઓએ ભગવો ઝંડો ઉઠાવ્યો હતો અને વી વોન્ટ જસ્ટિસના પોસ્ટર લઈને પણ લોકો એક સાથે ઉભા રહ્યા હતા.
મંદીરના પુજારીએ કરી કડક નિંદા
આ વિરોધ પ્રદર્શનમાં કરાચીના હનુમાન મંદિરના મુખ્ય પુજારી રામનાથ મિશ્રા પણ હાજર હતા. ગણેશ મંદિરમાં ડે તોડફોડ કરવામાં આવી હતી તેની તેમણે કડક નિંદા કરી હતી. પુજારી એ એવું કહ્યું કે ઈસ્લામ ધર્મ સામે જો કોઈ ખરાબ બોલે તો તેને મોતની સજા કે પછી ઉમ્ર કેદની સજા કરવામાં આવે છે. તેજ રીતે અમારા ઘર્મને લઈને ખોટું કરનારા લોકો સામે આ પગલા લેવામાં આવે.
નફરત ન ફેલાય તેનો ઉલ્લેખ
આ વિરોધ પ્રદર્શનમાં કરાચીના મુફ્તી ફૈસલ પણ શામેલ થયા હતા. તેમણે કહ્યું કે મારો ધર્મ ઈસ્લામ છે. પરંતુ અહીયા એવી કોઈ વાત ન કરવી જોઈએ કે જેના કારણે બંને સમુદાયના લોકો વચ્ચે નફરત ફેલાય. વધુમાં તેમણે કહ્યું આજે પણ ભારતમાં આજે પણ મુસ્લીમો શાંતીથી રહે છે. સાથેજ તેમણે કહ્યું કે મારા ઘણા સગા સબંધી ભારતની અલગ અલગ જગ્યા પર રહે છે. જેઓ ઘણા ખુશ છે.
પાકિસ્તાનની સુપ્રિમકોર્ટમાં મામલો પહોચ્યો હતો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પાકિસ્તાનના રહીમ યાર ખાન વિસ્તારમાં ગણેશ મંદિરમાં જે તોડફોડ થઈ હતી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. જેની પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ નિંદા કરી હતી. સાથેજ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મામલે ઘણી નિંદા કરવામાં આવી હતી.